SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ અપભ્રંશ શબ્દો પુરુષાપરાધજન્ય वाचकं शब्दं विजह्यादपि, तमन्तरेण शब्दाभिधेयतामपिं यतः प्रतिपद्यते इति व्यभिचारः । अनेकार्थवाचिनि चैकस्मिन् वाचके इष्यमाणे शब्दोऽथ व्यभिचरेत् , तस्येवार्थान्तरस्यापि ततः प्रतिपत्तेरितीत्थमनियमोऽयमुपप्लवेत, हस्तः करः पाणिरित्यादावक्षाः पादा माषा इत्यादौ, किं क्रियते, गतिरन्या नोपलभ्यते, तेनानेकशब्दत्वमनेकार्थत्वं च दैवबलवत्तयाऽङ्गीकृतम् । प्रथमः पुनरेष ऋजुः पन्थाः यदेकस्य वाचकस्यैका वाच्योऽर्थ इति । इह च गत्यन्तरमतिस्पष्टमस्ति प्रमादप्रभवत्वं नाम । तस्मिन् सति किमिति प्रथमप्राप्तोऽयं प्रतिवाच्यं वाचकनियमक्रमो लङध्यते । तेन प्रमादापराधनिबन्धना गाव्यादयो, न गवादिसमानमहिमान इत्युक्तम् ।। - 242. એક વાગ્યના ઘણે તુલ્ય કક્ષાના વાચકો છે એ ન્યાય અહીં નથી. કેમ ? પ્રત્યેક અર્થે જુદે શબ્દ મૂકાય છે. તેને લીધે જ શબ્દ–અર્થ વચ્ચેનો સંબંધ કરવો સુકર પડે છે. અન્યથા, સંબંધ કરવામાં થનગૌરવની આપત્તિ આવે. પ્રતિ અર્થ શબ્દ હેતાં તે શબ્દ તે અર્થને વાચક છે, તે અર્થ તે શબ્દને વાય છે' એમ શબ્દ અને અર્થે પરસ્પર અવ્યભિચારી બને. અનેક શબ્દ વડે વાચ એક અર્થ તે તે વાચક શબ્દને છોડી પણ દે છે, તે વાચક શબ્દના વિના તે અર્થ શબ્દાભિધેયતાને પામે છે, એટલે વ્યભિચાર થાય છે. અનેક અર્થોને વાચક એક શબ્દ સ્વીકારતાં શબ્દને અન્ય અર્થ સાથે પણ સહચાર થાય (વ્યભિચાર દષ) કારણ કે એક અર્થની જેમ બીજા અર્થની પણ તે શબ્દમાંથી પ્રતિપત્તિ થાય. આ રીતે આ અનિયમ ઊછળીને ખડે થાય છે, જેમકે “હસ્ત', કરી, “પાણિ' વગેરેમાં (એક અર્થના અનેક વાચકમાં ) અને “અક્ષ', 'પા', “ભાષ' (એક શબ્દના અનેક અર્થમાં) વગેરેમાં, તે અમે શું કરીએ, બીજી કોઈ ગતિ ઉપલબ્ધ નથી, તેથી એક અર્થનું અનેક શબ્દવ.શ્યત્વ અને એક શબ્દનું અને કાથવાચકવ દૈવબલવત્તાને કારણે અમે સ્વીકાર્યું છે. પરંતુ સરળ માગ તે આ છે કે એક વાચક શબ્દને એક જ વાચ્ય અર્થ હોય અને અહીં તો બીજી ગતિ અતિસ્પષ્ટ છે અને તે છે શબ્દોની પ્રમાદજન્ય અપભ્ર શતા. તેમ હોતાં પ્રથમ પ્રાપ્ત પ્રતિ અર્થ એક એક શબ્દના વાચકનિયમનું ઉલઘન થાય છે. તેથી, ગાવિ' આદિ શબ્દો પુરુષના પ્રમાદરૂપ અપરાધનું પરિણામ છે, તેઓ ‘ગો' આદિ શબ્દ સમ મહિમાવાળા નથી, આ મત જ યોગ્ય છે. 24. किञ्च वाचकशक्ति: नाम सूक्ष्मा परमपरोक्षा अर्थापत्तिमात्रशरणावगमा, न तन्मन्दतायामन्यतः कुतश्चिदवगन्तुं पार्यते । सा चेदियमन्यथाऽप्युपपद्यमाना गवादिभ्योऽर्थप्रत्ययादिव्यवहारे मन्दीभवति तेषु शक्तिकल्पनायामापत्तिः । एवं च गवादय एव वाचकशक्तेराश्रयो, न गाव्यादयः । 243. વળી, વાચકશકિત સૂમ છે, પરમ પરોક્ષ છે, અર્થપત્તિથી જ ગમ્ય છે. અર્થાપત્તિ વાચકશક્તિનું જ્ઞાન કરાવવામાં મદ હેય, દુર્બળ હોય તો બીજા કોઈ પ્રમાણથી વ.ચકશકિતને જાણવી શક્ય નથી, જે “ગ” આદિ શબ્દમાંથી થતા અર્થજ્ઞાન આદિ વ્યવહારને અનુલક્ષી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy