SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષા, ઊંહ વગેરે વ્યાકરણનાં પ્રજને નથી રક્ષા અધ્યેતાઓની પરંપરાથી જ સિદ્ધ છે. વેદનું અધ્યયન કરતો કોઈ પણ અધ્યેતા સ્વરથી કે વર્ણથી જરા પણ ઉચ્ચારમાં પ્રમાદ (= ભૂલ) કરે તે તેને બીજા અધ્યેતાઓ “વેદને નાશ કર મા, શ્રુતિને આમ ઉચ્ચાર કરે” એમ કહી શિખવાડે છે, એટલે વેદ રક્ષિત રહે છે. 208. કહસ્તુ ત્રિવિધ મંત્રસામાવિષય:. | તત્ર સામવિષયો યૌ-િ कशास्त्रादवगम्यते, याज्ञिकप्रयोगप्रवाहाद्वा। मन्त्रविषयोऽप्येवम् । प्रोक्षणादिसंस्कारविषये तु तस्मिन् व्याकरणमपि किं कुर्यात् । 208. [ પ્રકૃતિયાગની જેમ વિકૃતિયાગ કરવાના હેય છે. એટલે પ્રકૃતિયાગની વિગત વિકૃતિયોગમાં લઈ જવાની (= અતિદેશ) હોય છે. પ્રકૃતિયાગમાં પ્રજાયેલ મંત્રો, સામ અને સંસ્કાર વિકૃતિયાગમાં જ્યારે લઈ જવાય (transfer કરાય) ત્યારે સંપૂર્ણપણે તેના તે જ તેઓ તેમાં બંધ બેસતા નથી, એટલે તેમાં જરૂરી યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારને ઊહ કહેવામાં આવે છે.] ઊહ ત્રણ પ્રકારને છે–ત્રવિષયક, સામવિષયક અને સંસકારવિષયક [૧) મન્નવિષયક ઊહનું ઉદાહરણ-આગ્નેય યાગમાં શ્રીહિ દ્રવ્ય હેમ વામાં આવે છે. હવિ અગ્નિને આપવામાં આવે છે અને જે મંત્રને પ્રવેગ કરવામાં આવે છે તે છે “મનો વા કુર્ણ નિર્વાઈન ..ત્રીહીળાં મેઘ સુમનનાઃ '. આગ્નેય યાગ પ્રાકૃત ભાગ છે અને એને વૈકૃત યોગ સૌ યાગ છે. આ વૈકૃત સૌય યાગમાં દ્રવ્ય નીવાર છે અને હવિ સૂર્યને આપવામાં આવે છે આ હકીકતને દૃષ્ટિમાં રાખી મંત્રમાં થોડોક ફેરફાર જરૂરી બને છે. પરિણામે આવો કોઈ ફેરફાર કરવાને સ્પષ્ટ આદેશ વેદમાં ન હોવા છતાં એ વૈદિક આદેશનું અનુમાન કરી માત્ર આ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે–‘ય ત્યા સુર્ણ નિર્વવામિ ...નીવારોમાં મેઘ મુમનસ્થમાના (૨) સામવિષયક ઊહનું ઉદાહરણ–વૈયતેમના માટે કવરથcર સામ ગાવાને આદેશ છે જ્યારે જે યાગની વૈશ્યસ્તમ વિકૃતિ છે તે, બ્રાહ્મણોથી યજિત પ્રાકૃત ભાગમાં બૃહત અને રથન્તર સામ ગવાય છે. એટલે પ્રશ્ન ઉભો થાય છે કે શું વૈશ્યસ્તમમાં પ્રાકૃત ભાગના બે સામની જેમ જ સામ ગાવાને કે પછી બેમાંથી એક સામની જેમ. આ પ્રશ્નને ઉતર આપવામાં શબર અને કુમારિક વચ્ચે મતભેદ છે. શબર અનુસાર તે સામ બને રીતે ગાવાને, વિક૯પ કેવળ એ વિગતની બાબતમાં જ છે જ્યાં બહત એ રથન્તરને સીધે વિરોધી હોય, ઉદાહરણર્થ જ્યારે બહત ઉચૌઃ ગાવાને હાય ત્યારે રથન્તરને ઉરઃ નહિ ગાવાને. કુમારિલ અનુસાર ગાવાની સઘળી વિગતોને લક્ષી વિકલ્પ છે અર્થાત જ્યારે સ્તોમમાં કવથત્તર ગાવામાં આવે ત્યારે તેને કાં તે સંપૂર્ણપણે બૃહતની જેમ ગાવો જોઈએ કે તે સંપૂર્ણપણે રથન્તરની જેમ ગાવો જોઇએ. (૩) સંસ્કારવિષયક ઊંહનું ઉદાહરણ–વાજપેય યાગ માટેનીવારને ઉપયોગ કરવાને આદેશ છે, જ્યારે એના પ્રાકૃત યાગમાં વ્રીહિ દ્રવ્યને ઉપયોગ થાય છે. આ વ્રીહિના સંબંધમાં પ્રક્ષણ, અવહનન વગેરે સંસ્કાર કરવાને આદેશ છે. જે કે નીવારની બાબતમાં આવા સંસ્કાર કરવાને સ્પષ્ટ આદેશ નથી છતાં નીવારની બાબતમાં પણ આ સંસ્કાર કરવા જોઈએ કારણ કે આવા સંસ્કાર ન પામેલું દ્રવ્ય યાગમાં ઉપયોગ કરાવાને યોગ્ય નથી.]. આ ત્રણ પ્રકારના ઊઠમાંથી સામવિષયક ફોહ યકિતશાસ્ત્રથી અને યાજ્ઞિકના પ્રયોગોની પરંપરાથી જ્ઞાત થાય છે. મત્રવિષયક ઊહ પણ એ જ રીતે જ્ઞાત થાય છે અને પેલા પ્રક્ષણ આદિ સંસ્કારવિષયક ઊહમાં તે વ્યાકરણ પણ શું કરે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy