SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોનું સાધુ અસાધુમાં વર્ગીકરણ કરવા માટેના નિમિત્તને અભાવ ૯૭ _192. જે વ્યાકરણાનુસારિતા સાધુત્વ છે અને વ્યાકરણબાહ્યતા અસાધુત્વ છે એમ વર્ણવવામાં આવે છે તે પણ બરાબર નથી, કારણ કે તેમ માનતાં પારિભાષિક્તાની આપત્તિ આવે છે (અર્થાત “સાધુ' શબ્દને આવો અથ લેકમાં પ્રસિદ્ધ નથી.) સાધુ-અસાધુ શબ્દનું બીજુ કોઈ લક્ષણ સૂક્ષ્મ દૃષ્ટિથી પણ કલ્પવું શક્ય નથી. તેથી વાચક એ જ સાધુ અને અવાચક એ જ અસાધુ એમ સ્થિર થયું. પરિણામે તે બેને ( સાધુ-અસાધુને) પ્રવર્તમાન વિધિનિષેધ વ્યથ' બની જાય. કેમ ? સાધુ (= વાચક) શબ્દો વડે ભાષણ પ્રાપ્ત હેઈ તેને આદેશ આપવામાં આવતા નથી અને અસાધુ (= અવાચક) શબ્દ વડે ભાષણુ અપ્રાપ્ત હે ઈ તેને નિષેધ ઘટતું નથી. પાણી પીવે' ‘અગ્નિ ન પીવે' એવા વિધિ-નિષેધ સંભવતા નથી, કારણ કે જલપાન સ્વતઃ પ્રાપ્ત છે જ્યારે શાસ્ત્રની (= વિધિની ) અર્થવત્તા અખાતમાં છે. જવલનપાન કોઈ પણ દશામાં પ્રાપ્ત હેઈ તેને પ્રતિષેધ નિરર્થક છે. પ્રતિષેધ પ્રાપ્તિપૂર્વક હેય છે. ગ્રીષ્મમાં બળબળતા રણના માર્ગમાં ભ્રમણ કરવાથી વધેલી અતિ તીવ્ર તૃષાથી નબળા પડી ગયેલા શરીરવાળો ઊંટ પણ અગ્નિ પીવા પ્રયત્ન કરતું નથી, તેની તૃષા તે લવણના ઉપગથી દૂર થાય છે. 193. તàતત્ સ્થા-નવાગ્યાર વાવવિશેષે પાવાપુરાદ્ધોવાળकरणकपुण्यपातकप्राप्तिपरिहारप्रयोजननियमविधानाय शास्त्रसाफल्यं भविष्यति । તટુમ્ “વાવવિશેષેડપિ નિયમ: guથપાયો.” તિ [વાવપૂ. રૂ.રૂ.૩૦] | एतदपि दुर्घटम् , प्रतिपदमशक्यत्वात् , वर्गीकरणनिमित्तस्य चासम्भवात् । अवश्य हि विधि वा निषेधं वा विधित्सतां प्रविधेयांश्च निषेध्यांश्च शब्दानुपदर्य नियमो विधातव्यः एभिर्भाषितव्यमेभिर्नेति । तत्र यद्यभये ते शब्दाः प्रतिव्यक्ति नामग्रहणपरिगणनपुरःसरमुपदश्य॑रन् , तदयमर्थः कल्पशतजीविनी भगवतः परमेष्टिनोऽपि न विषयः, प्रविततवदनसहस्रसंकुलमूर्तेरनन्तस्यापि न गोचरो, वाचस्पतेर्न भूमिः, सरस्वत्या अतिभारः, तेषामानन्त्येन दर्शयितुमशक्यत्वात् ।। 193. [કોઈ કહેશે કે] “તો પછી એમ બને કે ગૌ' વગેરે શબ્દો અને ગાવિ વગેરે શબ્દ બંનેમાં વાચકત્વ સમાન પણે હેવા છતાં સાધુ શબ્દો ઉચ્ચાર કરવાથી જન્મતા પુણ્યની પ્રાપ્તિ કરવાના અને અસાધુ શબને ઉચ્ચાર કરવાથી જન્મતા પાપને પરિહાર કરવાના પ્રજનાર્થે “સાધુ શબ્દ વડે જ બેસવું, અસાધુ વડે નહિ એવા નિયમનું વિધાન કરવા માટે શાસ્ત્રનું સાફલ્ય છે. તેથી કહ્યું છે કે વાચક સભાનપણે હોવા છતાં પુણ્ય–પાપને કારણે સાધુને જ ઉચ્ચાર કરે, અસાધુને નહિ એવો નિયમ છે.” આ પણ દુર્ઘટ છે, કારણ કે પ્રત્યેક પદને અનુલક્ષી “આ સાધુ છે “આ અસાધુ છે એ દર્શાવવું અશક્ય છે, અને બધાં પદેને લઈ તેનું સાધુઅસાધુમાં વગીકરણ કરવા માટેનું કોઈ નિમિત્ત નથી. વિધિ અને નિષેધ કરવા ઈચ્છનારે વિધેય અને નિષેધ્ય શબ્દોને દર્શાવી પછી “આ શબ્દ વડે બેલેવું જોઈએ, આ શબ્દો વડે નહિ એવા નિયમનું વિધાન કરવું જોઈએ. જે બન્ને પ્રકારના તે શબ્દને પ્રતિ વ્યક્તિ નામ લઈ એક પછી એક દર્શાવવામાં આવે તે આ અર્થ કલ્પશત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy