SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ધર્મશાસ્ત્રો પ્રમાણ છે અને તેમનું પ્રામાણ્ય વેદમૂલક છે એ કુમારિલમત 135. નૈયાયિક-કયા બીજાં આગમને મનમાં ધારી વત્સ પૂછે છે? પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્રોને કે શૈવ, પાશુપત, પાંચરાત્ર, બૌદ્ધ, આહંત વગેરેને ? તેમાં શૈવ વગેરે આગમોનું નિરૂપણ તે અમે પછી કરીશું. મનુ વગેરેએ પ્રણીત કરેલાં ધર્મશાસ્ત્રો અનુદ્ધેય વેદાર્થ સાથે સંબદ્ધ વિશિષ્ટ કર્મોને ઉપદેશ વેદની જેમ આપતા હૈઈ પ્રમાણ જ છે. તેમની બાબતમાં વિચાર કેવો ? __136. तेषां तु प्रमाणत्वं वेदमूलत्वेनैव केचिदाचक्षते । तथा हि न तावन्मन्वादिदेशना भ्रान्तिमूलाः संभाव्यन्ते, बाधकाभावात् , अद्ययावदपरिम्लानादरै विद्भिस्तदर्थानुष्ठानात् । नाप्यनुभवमूलाः, प्रत्यक्षस्य त्रिकालानवच्छिन्नकार्यरूपधर्मपरिच्छेददशासामर्थ्यासंभवात् । न च पुरुषान्तरोपदेशमूलाः, पुरुषान्तरस्यापि तदवगमे प्रमाणाभावत् । भावे वा मनुना किमपराधम् ? असति हि मूलप्रमाणे पुरुषवचनपरम्परायामेव कल्प्यमानायामन्धपरम्परास्मरणतुल्यत्वं दुर्निवारम् । न च विप्रलम्भका एव भवन्तो मन्वादय एवमुपदिशेयुरिति युक्ता कल्पना, बाधकाभावात् साधुजनपरिग्रहाच्चेत्युक्तम् । तस्मात् पारिशेष्याद् वेदाख्यकारणमूला एव भवितुमर्हन्ति मन्वादिदेशनाः, तद्वयनुगुणं समर्थं च कारणमिति । तदाह भट्टः भ्रान्तेरनुभवाद्वापि पुंवाक्याद्विप्रलम्भकात् । દાનનુષ્યસામર્થ્યવોનૈવ શ્રી સીત || [તન્નવા. ૨.રૂ.૨] 136. કેટલાક ધર્મશાસ્ત્રોનું પ્રામાણ્ય વેદમૂલત્વને કારણે ગણે છે. તેમનું વેદમૂલત્વ આ પ્રમાણે પુરવાર થાય છે-મનુ વગેરેની દેશનાઓ બ્રાન્તિમૂલક તે સંભવતી નથી, કારણ કે તેમના બાધક [જ્ઞાનને અભાવ છે; વળી, તેમના પ્રતિ જરા પણ ઓછો આદર ન ધરાવતા વિદાએ અત્યાર સુધી તેમના અર્થોનું અનુષ્ઠાન કર્યું છે. તે દેશના અનુભવમૂલક પણ સંભવતી નથી કારણ કે ત્રણેય કાળથી પર કર્તવ્યરૂપ ધમને જાણવાનું સામર્થ્ય પ્રત્યક્ષમાં અર્થાત અનુભવમાં નથી. બીજા પુરુષોને ઉપદેશ તે દેશનાઓને મૂળમાં નથી, કારણ કે તે બીજા પુરુષ પાસે પણ તેને (== ધમને જાણવા માટેનું કોઈ પ્રમાણરૂપ સાધન નથી. તેની પાસે પ્રમાણુરૂપ સાધન છે એમ જે માનીએ તે મનુએ છે અપરાધ કર્યો કે તેની પાસે તે નથી એવું આપણે માનીએ ? અને મૂળ પ્રમાણ ન હોય તે પુરુષના વચનની પરંપરા કપવામાં અંધપરંપરાસ્મરણતુલ્યતાને દોષ દુનિવાર છે વળી, અવશ્યપણે ઠગ એવા મનુ વગેરે આવો ઉપદેશ આપે એવી કલ્પના પણ યોગ્ય નથી, કારણ કે કહેવામાં આવ્યું છે કે તેમના ઉપદેશના બાધક [જ્ઞાનને અભાવ છે તેમ જ સાધુજને તેમના ઉપદેશને સ્વીકારે છે. તેથી [આ બધા] સંભવિત વિકલ્પમાંથી એક પછી એક દૂર થતાં બાકી રહેલ વિકલ્પને આધારે મનુ વગેરેની દેશનાઓનું મૂળ વેદ નામના કારણમાં હોવું યોગ્ય કરે છે, કારણ કે તે જ તે દેશનાઓનું અનુકૂળ અને સમર્થ કારણ છે. એથી જ કુમારિલ ભટ્ટ કહ્યું છે કે “મનું વગેરેની
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy