SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અથવવેકશપાઠીને શ્રાદ્ધભોજનને અધિકાર કારણ કે સામાન્યપણે બ્રહ્મચર્યને ઉપક્રમ સવવેદવિષયક છે—કેવળ ત્રણ વેદ વિષયક નથીએટલે એ ઉપક્રમ સાથે વિરોધ આવે; વળી, આવું વ્યાખ્યાન ઉપયોગી પણ નથી. અન્યાન્ય વેદના [અર્થાત એક, બે, ત્રણ કે ચાર વેદના] અધ્યયનને લક્ષમાં રાખી કરવામાં આવેલું આ વિકલ્પવિધાન છે અને નહિ કે બાર વર્ષ કે સોળ વર્ષના સમયગાળાને લક્ષમાં રાખીને. તે સ્મૃતિને અનાદર પણ “તે કૃષ્ણ કેશવાળો અગ્નિહોત્રના અગ્નિની સ્થાપના કરે " (અર્થાત જેના વાળ ધોળા થવા નથી માંડ્યા તે (= યુવાન) ગૃહસ્થજીવન શરૂ કરે–પત્ની ગ્રહણ કરે) એ શ્રુતિની વિધી હોવાથી કરવામાં આવે છે. [સ્મૃતિ શ્રુતિવિરોધી છે કારણ કે ૪૮ વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાળ્યા પછી તેના વાળ કાળા ન હોઈ શકે. એ સ્મૃતિને અનાદર અથર્વવેદના અધ્યયનના નિષેધનું સૂચન કરતો નથી. 126. ઐહિત્રહ્મચર્યવ્રતસ્કૃતિરપિ યમ અથવ્યવનપામેવ વિષથીकरोति, न च वेदान्तराध्ययननिषेधमिति अत्रापि न विशेषहेतुरस्ति । त्रिषु वेदेष्विदं व्रतं, न पुनरेष्वेव त्रिष्विति नियामकं वचनमस्ति । J26. ત્રણ વેદોના અધ્યયન માટેના બ્રહ્મચર્યવ્રતને વિષેની આ સ્મૃતિ અથર્વવેદથી અન્ય ત્રણ વેદનું અધ્યયન કરવાનું જણાવે છે પરંતુ અથર્વવેદના અધ્યયન નિષેધ તે કરતી નથી. એ નિષેધ કરવા માટે) અહી કઈ ખાસ કારણ પણ નથી. [વળી, કોઈ પણ ત્રણ વેદના અધ્યયનને માટેનું આ વ્રત છે. પરંતુ “આ જ ત્રણ વેદના અધ્યયન માટેનું ' એવું નિયામક વચન નથી. 127 થી શ્રાદાતારને નેન મોન' ન ત્રિપુરારિશીન તત્વ वेदपारगमिति शाखान्तरगमिति समाप्तिगमिति विशेषणपदपर्यालोचनया ऋग्वेदायेकदेशाध्यायिनामनधिकारमेव श्राद्धे सूचयति । अथर्वणस्तु अथर्यशिरोऽध्ययनमात्रलब्धपङक्तिपावनभावस्यैकदेशपाठिनोऽपि तत्राधिकार उपपद्यते । दर्शितं चाथर्वशिरोऽध्ययनमात्रादपि पङ्क्तपावनत्वम् । पक्तिपावनश्च श्राद्धभोजनेऽनधिकृत इति વિપ્રતિષિદ્ધમ્ | 127. વળી, શ્રાદ્ધપ્રકરણમાં ‘યનથી જમાડવા એ લેકમાં ત્રણ વેદના પારંગતને જણાવ્યા છે એમ તમે કહ્યું. પરંતુ ક્ષેકમાં આવેલાં “વેદપારંગત’, ‘શાખાન્તક” અને “સમાપ્તિગ' એ ત્રણ વિશેષણરૂપ પદની પર્યાચના દ્વારા ગ્વાદિના એક ભાગનું અધ્યયન કરનારને શ્રાદ્ધમાં અધિકાર નથી એમ સૂચવવામાં આવ્યું છે. એથી ઊલટું, અથર્વવેદના અધ્યયનની પરિપાટીવાળા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલે અથર્વવેદના અથર્વશિરસ્ તરીકે જાણીતા ભાગના અધ્યયનમાત્રથી પંક્તિપાવનત્વ પામે છે. અને પરિણામે અથર્વવેદના એક ભાગનું અધ્યયન કરનારને ત્યાં [શ્રાદ્ધમાં નિમંત્રણ પામવાન] અધિકાર ઘટે છે. આમ અથવવેદના અથર્વશિરસ્ તરીકે જાણીતા ભાગનું અધ્યયન કરવા માત્રથી પતિતપાવનત્વ પ્રાપ્ત થાય છે એ જણાવાયું છે. અને પંક્તિપાવન છે અને શ્રાદ્ધજનમાં અનધિકારી છે. એ બે વસ્તુ તે પરસ્પરવિરોધી છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy