SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિઓ પણ અથર્વવેદને અન્ય વેદોની સમકક્ષ ગણે છે 101. ખરેખર સ્મૃતિવાકયો પણ છે. મનુ “વિચાર કરવા અટક્યા વિના અથર્વાગીરસી શ્રુતિઓ પ્રયોજે ” [૧૧.૩૩] એમ કહી “શ્રુતિ શબ્દ દ્વારા ત્રયીની જેમ અથર્વવેદને વ્યવહાર કરે છે. પુરાણ, તર્કમીમાંસા, ધર્મશાસ્ત્ર, ]િ અંગે સહિત (ચાર) વેદ એમ ચૌદ વિદ્યાઓનાં અને ધર્મનાં સ્થાને છે,” એમ ચદ વિદ્યાસ્થાનોને ગણાવતાં યાજ્ઞવલ્થ ચારેય વેદોને જણાવે છે, કારણ કે અન્યથા ચૌદની સંખ્યા પૂરી થાય નહિ. બીજી સ્મૃતિમાં તે સ્પષ્ટપણે કહ્યું છે કે “ [૭] અંગે, ચાર વેદે, મીમાંસા, વિસ્તૃત ન્યાય, પુરાણું અને ધર્મશાસ્ત્ર—આ ચૌદ વિદ્યાઓ છે.” બીજે સ્થાને પણ કહેવામાં આવ્યું છે કે “ પુરાણ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય, ચાર વેદે અને છ અંગે એમ ચૌદ વિદ્યાસ્થાને છે. ” 102. રાતાપાઠવ્યાë--- ऋक्सामयजुरङ्गानामथर्वाङ्गिरसामपि । अणोरप्यस्य विज्ञानाद् योऽनूचानस्स नो महान् ॥ इति तथाऽन्यत्र 'चत्वारश्चतुणी वेदानां पारगा धर्मज्ञाः परिषत्' इत्युक्तम् । शङ्खलिखितौ च 'ऋग्यजुस्सामावविदः षडङ्गविद् धर्मविद् वाक्यविद् नैयायिको नैष्ठिको ब्रह्मचारी पञ्चाग्निरिति दशावरा परिषत्' इत्यूचतुः । प्राचेतसे 'चत्वारो वेदविदो धर्मशास्त्रविदिति पञ्चावरा परिषत्' इत्युक्तम् । 102. શાતાપે પણ કહ્યું છે, “ સ્વેદ, સામવેદ, યજુર્વેદ, વેદાંગે અને અથર્વવેદના આ અણુમાત્રનું પણ વિજ્ઞાન હેવાને કારણે જે વિદ્વાન યા વેદવિદ્ [કહેવાય છે તે અમારે મન મહાન છે.' વળી અન્યત્ર કહ્યું છે કે “ચાર વેદમાં પારંગત ચાર ધર્મ એ પરિપદ [કહેવાય છે.” શંખ અને લિખિતે કહ્યું છે કે “ (૧) ઋદને જાણનાર (૨) યજુર્વેદને જાણનાર (૩) સામવેદને જાણનાર, (૪) અથર્વવેદને જાણનાર, (૫) છ વેદાંગોને જાણનાર, (૬) ધર્મશાસ્ત્રને જાણનાર, (૭) મીમાંસાને જાણનાર, (૮) નયાયિક, (૯) નૈષ્ઠિક બ્રહ્મચારી અને (૧૦) પંચાગ્નિ (= દક્ષિણ આદિ પાંચ અગ્નિઓ રાખનાર ગૃહસ્થ અથવા શરીરગત પાંચ અગ્નિઓને જાણનાર) એમ ઓછામાં ઓછા દસની પરિષદ હોય છે. પ્રાચેસમાં કહ્યું છે કે “ ચાર) વેદના ચાર જાણનારા અને ધર્મશાસ્ત્રને જાણનારે એમ ઓછામાં ઓછા પાંચની પરિપદ હેય છે.” 103. तथा च पङ्क्तिपावनप्रस्तावे चतुर्वेदषडङ्गवित् ज्येष्ठ सामगोऽर्वाड्गिरसोऽप्येते पतितपावना गण्यन्ते । तदयमेवमादिवेदचतुष्टयप्रतिष्ठाप्रगुण एव प्राचुर्येण धर्मशास्त्रकाराणां व्यवहारः । अन्येऽपि शास्त्रकारास्तथैव व्यवहरन्तो दृश्यन्ते । तथा च महाभाष्यकारो भगवान् पतञ्जलिरथर्ववेदमेव प्रथममुदाहृतवान् ‘शन्नो देवीरभिष्टये' इति । मीमांसाभाष्यकारेणापि वेदाधिकरणे [१.१.८] 'काठकं कालापकं मौद्गलं पैप्पलादकम्' इति यजुर्वेदादिवदथर्ववेदेऽपि पैप्पलादकमुदाजहे । सर्वशाखाधिकरणे
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy