SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસંબંધનું મીમાંસકૃત ખંડન મીમાંસક – શું શબ્દ અને અર્થ વચ્ચે અવિનાભાવસંબંધ છે ? નૈયાયિકતે પણ નથી કારણ કે એમ હોય તે શબ્દપ્રમાણું અનુમાન પ્રમાણ જ બની જાય. મીમાંસક–તે પછી કો સંબંધ છે ? નયયિક – સમયસંબંધ છે એમ કહીએ છીએ. મીમાંસક–આ સમયસંબંધ એ શું છે ? યાયિક– ‘આ અભિધન છે અને એનું આ અભિધેય છે' એવા નિયમની [ઈચ્છાપૂર્વક] સ્થાપના દ્વારા અમુક શબ્દનું અમુક અર્થ સાથે મનથી કરવામાં આવેલ જેડાણ એ સમય કહેવાય છે. મીમાંસક–જે એમ હોય છે જેની શંકા ન કરવી જોઈએ એવા સંશ્લેષરૂપ સંબંધની શંકા કરી તે સંબંધને દૂધણ બતાવવાને શો અર્થ ? યાયિક–અમે ઉત્તર આપીએ છીએ. શબ્દ અને અર્થને અભેદ માનનારા વૈયાકરણની ઉપર સંશ્લેષરૂપ આ સંબંધ, તેમની માન્યતામાંથી ફળબળે ફલિત થતો હોવાથી, આવી પડે છે એટલે તેમનું અમે ખંડન કર્યું છે. 31. ગાઢું – ચઢિ વૈવાળવતો ન સંવ ૩૫રિમાન, સમયऽप्ययमनुपपन्न एव, स हि पुरुषकृत सङ्केतः । न च पुरुषेच्छया वस्तुनियमोऽवकल्पते, तदिच्छाया अव्याहतप्रसरत्वात् । अर्थोऽपि किमिति वाचको न भवति, शब्दश्च वाच्यः ? न चैवमस्ति-दहनमनिच्छन्नपि पुरुषो धूमान्न तं प्रत्येति, जलं वा तत इच्छन्नपि प्रतिपद्यते । तत्र यथा धूमाग्न्योनैसर्गिक एवाविनाभावो नाम सम्बन्धः ज्ञप्तये तु भूयोदर्शनादि निमित्तमाश्रीयते, एवं शब्दार्थयोस्सांसिद्धिक एव शक्त्यात्मा सम्बन्धः तद्व्युत्पत्तये तु वृद्धव्यवहारप्रसिद्धिसमाश्रयणम् । . 34. મીમાંસક – વૈયાકરણએ વર્ણવેલ સ રૂપ સંબંધ ઘટતો ન હોય તે સમયસંબંધ પણ અઘટમાન જ રહે છે, કારણ કે સમયસંબંધ પુરુષકૃત સંકેત છે; અને પુરુષની ઇચ્છા પ્રમાણે વસ્તુનિયમ વતંતે નથી, કારણ કે પુરૂની ઇચ્છા વ્યાઘાત પામ્યા વિના બધે જ પ્રસરે છે અર્થાત ઉછુંખલ છે. [પુરુષની ઈચ્છા ઉછુંખલ હોઈ, પુરૂષની ઈચ્છા પ્રમાણે અર્થ પણ કેમ વાચક બનતો નથી અને શબ્દ કેમ વાચ્ય બનતું નથી ? અગ્નિને ધૂમ ઉપરથી જાણવા ન ઈચ્છતે હેવા છતાં પુરુષ ધૂમ ઉપરથી અગ્નિને જાણે નહિ એવું બનતું નથી, કે જલને ધૂમ ઉપરથી જાણવા] ઇચ્છતા હોવા છતાં પુરુષ જલને ધૂમ ઉપરથી જાણે એવું બનતું નથી. ત્યાં જેમ ધૂમ અને અગ્નિ વચ્ચે નૈસર્ગિક અવિનાભાવસંબંધ છે પરંતુ તે સંબંધને જાણવા ભેદર્શન વગેરે નિમિત્તોને આશ્રય લેવાય છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે વાવાચકશકિતરૂપ સંબંધ નૈસર્ગિક જ છે પરંતુ તેને જાણવા માટે વૃદ્ધવ્યવહાર અને પ્રસિદ્ધિને આશરે લેવાય છે. 35. स्वाभाविके सम्बन्धे सति दीपादिवत् किं तद्व्युत्पत्त्यपेक्षणेनेति चेत् ,
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy