________________
વાક્યર્થ નિગ છે અ મત
૨૭૫
કરતા નથી, કારણ કે જિઘાંસા (=હણવાની ઈચ્છા) જ તે પ્રવૃત્તિની પ્રેરક (પ્રવક–ઉત્પાદક) છે. તેથી, યેન્યાગ વગેરે અધર્મ (=અનર્થ હોઈ તેમની વ્યાવૃત્તિ કરવા માટે સૂત્રમાં “અર્થ પદ મૂકવામાં આવ્યું છે- રોવરાટલોડઃ ઘમઃ [=વૈદિક પ્રવર્તક વાક્ય (ચોદના જ જેને જ્ઞાપક હેતુ (=લક્ષણ) છે એ જે અર્થ તેનું નામ ધમ. અહીં ધર્મનાં બે વિશેષણે આપ્યાં છે એક તે તે વેદનાં વિધિવા વડે જ જ્ઞાત થાય છે. બીજુ તે અર્થ છે (=સુખનું કે શ્રેયનું સાધન છે, અનર્થ નથી].
254. कामाधिकारेषु हीतिकर्तव्यतांशे शास्त्रीया प्रवृत्तिः, यथोक्तं 'क्रत्वर्थो हि શાસ્ત્રાવ ખ્યતે” [૦ મા ક.૨.૨]તિ | માવાઈમાત્ર સ્િ તરવૈમવતમ, તकर्तव्यतांशस्तु न करणत्वावगतिवेलायामुपनिपतित इति तत्र लिप्साया अभावाच्छास्त्रमेव प्रवर्तकम् । अतएवाग्नीषोमीयहिंसाया नाधर्मत्वम् ।
254. કામાધિકારોમાં આવતા ઇતિક્તવ્યાંશમાં જે પ્રવૃત્તિ થાય છે તે શાસ્ત્રીય (= વૈધી) છે, જેમ કે કહ્યું છે કે યજ્ઞ ( અતુ)ના ઉપકારક અંગ શાસ્ત્રથી મુક્ત વ્યરૂપે જ્ઞાત થાય છે.' ભાવાર્થ માત્રનું =કેવળ ધાત્વર્થનું-યાગનું) કરણત્વ તે પહેલેથી જ્ઞાત થયેલું છે, પરંતુ
જ્યારે કરણત્વનુ જ્ઞાન થયું ત્યારે ઇતિક્તવ્યતાંશ આવી પડ્યું ન હતો =જ્ઞાત થયો ન હતો, એટલે લિસાના અભાવે શાસ્ત્ર જ ઇતિકર્તવ્યતાંશમાં પ્રવર્તક છે. ફિળનું સાધન કરણ હોઈ, તે કરણવિષયક પ્રવૃત્તિ ફ્લેચ્છાને કારણે થાય છે, પછી તે પ્રવૃત્તિની પ્રવર્તક છે, વિધિ તેના પ્રવર્તક નથી. ઇતિક્તવ્યતાશ કરણને ઉપકાર કરતો હોઈ તે ઈતિકર્તવ્યતાંશ પણ ફળનું પરંપરાથી સાધન ગણાય, પરિણામે ઇતિક્તવ્યતાંશમાં પણ ફલેચ્છાને કારણે પ્રવૃત્તિ કેમ ન થાય ? આના ઉત્તરમાં કેટલાક જણાવે છે કે કરણ ફલસિદ્ધિને વચ્ચે લાવાને નિયોગને સાધે છે એટલે કરણને ફળ સાથે સંબંધ છે, ઇતિક્તવ્યતાને ફળ સાથે સંબંધ નથી. બીજા કેટલાક જણાવે છે કે પ્રયાગકાળે ( પ્રવૃત્તિકાળે ) કરણ ઇતિકર્તવ્યતાની અપેક્ષા કરે છે. પ્રતિપત્તિકાળે તે તેની અપેક્ષા કરતું નથી. અધિકારાવસ્થામાં પ્રતિપત્તિકાળે તે
સિદ્ધિ માટેની કરણની જ ઉપાયતાનું જ્ઞાન થાય છે. પ્રજાને શુદ્ધ અનુપકૃત યાગ (કરણ) ફળની (સ્વર્ગની સિદ્ધિ માટે સમર્થ નથી, એટલે પ્રયોગકળે પ્રવૃત્ત થયેલા યાગને (કરણને ઈતિક્તવ્યતાની અપેક્ષા છે. પહેલેથી નથી. નિષ્કર્ષ એ કે ફલેછાથી જેમ કરણમાં પ્રવૃત્તિ થાય છે તેમ ઇતિકર્તવ્યાંશમાં ફ્લેચ્છાથી પ્રવૃત્તિ થતી નથી. કામાધિકારમાં ફળના સાધન ( =કરણ ) વિષયક પ્રવૃત્તિ લેછાથી થાય છે, વિધિ તે ફળનું સાધન માત્ર દર્શાવે છે – સાધ્યસાધનસંબંધનું પ્રતિપાદન કરે છે. પરંતુ સાધનવિષયક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તેમાં વિધિ પ્રવર્તક છે-લિસા પ્રવર્તક નથી. અર્થાત મુખ્ય સાધનના અંગે વિષયક જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિને પ્રવર્તક વિધિ છે. “સ્વર્ગકામ જે’ અહીં ફળ સ્વર્ગ છે. યાગ એ સ્વગનું મુખ્ય સાધન છે કરણું) છે. પુરુષને યોગવિષયક પ્રવૃત્તિ કરવા પ્રેરનાર સ્વર્ગો છો છે. વિધિ નથી. વિધિ તે વર્ગ અને યાગ વચ્ચેના સાધ્ય-સાધનસંબધનું જ માત્ર પ્રતિપાદન કરે છે. પરંતુ યાગના ઉપકારક અંગોમાં પુરુષની જે પ્રવૃત્તિ થાય છે તેને પ્રવર્તક તે વિધિ