________________
૨૬૨
વાક્યર્થ ભાવના છે એ મતનું ખંડન
દોષ આવી પડે એટલે તે અનવસ્થાષને પ્રતીકાર કરવાને કઈ ઉપાય શોધવો જોઈએ. આ ઉપાય [નજીક તે શું] દૂર દૂર પણ ઉપલબ્ધ નથી. પ્રાણીના પરિસ્પદથી અતિરિક્તા વ્યાપારને નિરાસ અમે પ્રમાણસામાન્ય લક્ષણપ્રસંગે વિસ્તારથી કર્યો છે, એટલે એ નિરાશા કરવાની રીતનું અનુસરણ અહીં પણ કરવું જોઈએ.
___230. यश्चासौ व्यापारः क्रियते चाभिधीयते च, स किं पूर्वमभिधीयते ततः क्रियते, पूर्व वा क्रियते पश्चादभिधीयते, युगपदेव वाऽस्य करणाभिधाने इति ? न तावत् पूर्वममिधीयते ततः क्रियते, अनुत्पन्नस्याभिधानानुपपत्तेः । न ह्यजाते पुत्रो नामधेयकरणम्. । अर्थासंस्पर्शी च तथा सति शब्द: स्यात् । तत एव न युगपदुभयम् , अनुत्पन्नत्वानपायात् प्रयत्नगौरवप्रसङ्गाच्च । नापि कृत्वाऽभिधानं, विरम्य व्यापारासंवेदनात् ।
230 આ જે શબ્દવ્યાપારને પેદા કરવામાં આવે છે અને અભિહિત કરવામાં આવે છે તે શબ્દવ્યાપારને શું પહેલાં અભિહિત કરવામાં આવે છે અને પછી પેદા કરવામાં આવે છે કે પહેલાં પેદા કરવામાં આવે છે અને પછી અભિહિત કરવામાં આવે છે, કે અભિધાન અને ઉત્પત્તિ સાથે કરવામાં આવે છેપહેલાં તેનું અભિધાન કરવામાં આવે છે અને પછી તેની ઉત્પત્તિ કરવામાં આવે છે એ પક્ષ યોગ્ય નથી કારણ કે અનુત્પન્નનું અભિધાન ઘટતું નથી. ન જન્મેલા પુત્રનું નામ પાડવામાં આવતું નથી. અનુત્પન્નનું અભિધાન માનતાં શબ્દ અર્થાસ સ્પશી બની જાય. તેથી જ અભિધાન અને ઉત્પત્તિ બંને સાથે કરાય છે એ પક્ષ બરાબર નથી, કારણ કે અનુત્પન્મના અભિધાનને દોષ તે આ પક્ષમાં પણ રહે છે, ઉપરાંત પ્રયત્નગૌરવને દેષ પણ આ પક્ષમાં આવે છે. ઉત્પત્તિ કરીને પછી અભિધાન કરે છે એ પક્ષ પણ ગ્ય નથી કારણ કે શબ્દ સ્વવ્યાપારની ઉત્પત્તિ કરીને પછી તેનું અભિધાન કરતા હોય એવો અનુભવ આપણને નથી.
231. કપિ સાથે તપસ્વી બ્રિટાઢિ પ્રયા: સાપ નોવૃાર તથमुमतिबृहन्तं भारं वहति ? कर्तारं च तत्संख्यां चाख्यास्यति, अर्थभावनामभिधास्यते, शब्दभावनां च करिष्यति, तां च वदिष्यतीति दुर्वहाऽयं भारः । कश्चायं शब्दभावनानामधेयस्य विधेर्वाक्यार्थे भावनायामन्वय इति वक्तव्यम् ।
231 વળી, આ બિચારો લિડ આદિ પ્રત્યય શબ્દક શ્લેષથી વૃષભશ્રેષ્ઠ) હોવા છતાં કેવી રીતે ઘણે મોટો ભાર વહે ? કર્તાને અને તેની સંખ્યાને જણાવે, અર્થભાવનાનું અભિધાન કરે અને શબ્દભાવનાને ઉત્પન્ન કરે તેમ જ અભિહિત કરે ? આ ભાર તે વહન કર મુશ્કેલ છે. જેનું નામ શબ્દભાવના છે. એ વિધિને વાક્યાથ રૂપ ભાવના સાથે અન્વયસંબંધ કયે છે એ જણાવવું જોઈએ.