SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયાથ ભાવના છે એ મત ૨૫૫ જેનું નામ છે અભિધાભાવના ( = શાબ્દીભાવના). લિડત શબ્દને (= ચત શબ્દને) સાંભળતાં જેમ યાગ આદિ સાધનથી વિશિષ્ટ એવા પિતાના વ્યાપારને પુરુષ જાણે છે તેમ યાગરૂપ સાધનના અનુષ્ઠાનમાં અને પ્રેરવામાં આવ્યું છે એ પણ તે જાણે છે. તેથી જેમ અનુદ્ધેય અર્થના પ્રતિપાદનમાં શબ્દનું સામર્થ્ય છે તેમ પ્રેરણામાં પણ શબ્દનું સામર્થ્ય છે. પરિણામે લિડ આદિ યુક્ત વાક્ય બે ભાવનાઓનું પ્રતિપાદક છે એમ સ્વીકારવામાં આવ્યું છે. તે વાક્યમાંથી પુરવ્યાપારરૂપ અર્થભાવના અને શબ્દવ્યાપારરૂપ શબ્દભાવના જ્ઞાત થાય છે. શબ્દવ્યાપારરૂપ હોઈ, શબ્દભાવના શબ્દ વડે અભિહિત થાય છે. શબ્દભાવના અજ્ઞાત હોય તે તે કાર્યાગ બનતી નથી, એટલે શબ્દ વડે તેનું અભિધાન ઈચ્છવામાં આવ્યું છે. એટલા માટે કહ્યું છે કે “શબ્દ શબ્દભાવનાને ( = પ્રેરણાને, જે શબદવ્યાપારરૂપ, છે) અભિહિત કરે છે અને ઉત્પન્ન પણ કરે છે. 222. ननु शब्दभावनाऽपि भावनाऽऽत्मकत्वादर्थभावनावदंशत्रयमपेक्षते एवेति तदस्या दर्शयितव्यम् । उच्यते । भाव्यांशे तावदस्याः पुरुषप्रवृत्तिरुपनिपततीति उक्तमेव । पुरुषप्रेरणात्मको हि विधिः शब्दभावनेति तत्साध्या पुरुषप्रवृत्तिरेव तत्र भाव्यतां प्रतिपद्यते । करणांशे तु तस्या नियोज्यविषयसमर्पकपदव्यापारो निविशते । यथा हि यज्यादिना स्वर्गादि व्यः सम्पद्यते इत्यर्थभावनायामसौ तत्करणतामवलम्बते, एवमिहापि नियोज्यपुरुषप्रवृत्तिविषयायवगमात् संपद्यते इति तदभिधायकशब्दव्यापारस्तत्र करणतां प्रतिपद्यते । इतिकर्तव्यतांशे तु अर्थवादपदव्यापारोऽस्या अवतिष्ठते । केवलं विधिपदश्रवणे हि सति न तथा प्रवर्तयितुमुत्सहन्ते श्रोतारो यथा अर्थवादजनितबहुप्रकारकर्मप्राशस्त्यज्ञानपरितोषितहृदयाः सन्त इत्यर्थवादाः प्रवृत्त्यतिशयहेतवः । तेन तद्व्यापार इतिकर्तव्यतांशमस्याः पूरयतीति । एवं नियोज्यव्यापारो भाव्यः, विषयादिसमर्पकपदव्यापारः करणम् , अर्थवादपदव्यापार इतिकर्तव्यतेति सेयं त्र्यंशा शब्दभावना । सैव च विधिः ।। 222. શંકાકાર–શબ્દભાવના પણ ભાવનાત્મક હોઈ અર્થભાવનાની જેમ ત્રણ અંગેની અપેક્ષા રાખે જ, એટલે એના ત્રણ અંશે દર્શાવવા જોઈએ. ભાવનાવાક્ષાર્થવાદી -. અમે જણાવીએ છીએ. તેના ભાવ્યાંશમાં ( = સાયાંશમાં ) પુરુષપ્રવૃત્તિ પડે છે એ તે અમે જણાવી દીધું છે જ. પુરુષ પ્રેરણાત્મક વિધિ શબ્દભાવના છે, એટલે શબ્દભાવના વડે સાધ્ય પુરુષપ્રવૃત્તિ જ શબ્દભાવનામાં ભાવ્યતા ( = સાધ્યતા) પામે છે. શબ્દભાવનાના કરણુશમાં ( = સાધનાશમાં) પડે છે નિજય પુરુષની પ્રવૃત્તિના વિષયનું (= આજ્ઞાનું) પ્રતિપાદન કરતા પદને = લિ આદિને ) વ્યાપાર. જેમ યાગ વગેરે વડે સ્વર્ગ આદિ સામેનું સંપાદન કરવામાં આવે છે એટલે અર્થભાવનામાં એ યાગ વગેરે સ્વર્ગ આદિનું સાધનપણું ( = કરણતા) પામે છે, તેમ અહી પુરુષપ્રવૃત્તિના વિષય (આશા)
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy