SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ વાકયાથ ભાવના છે એ મત વગેરેના જ્ઞાન દ્વારા નિજય પુરુષની પ્રવૃત્તિનું સંપાદન કરવામાં આવે છે એટલે તે વિષય ( = આજ્ઞા ) વગેરેનું અભિધાન કરનાર શબ્દને લિડ આદિને ) વ્યાપાર સાધનપણું (= કરતા) પામે છે. શબ્દભાવનાના કથંભાવાંશમાં ( = ઇતિકર્તવ્યતાંશમાં) અર્થવાદપદને વ્યાપાર સ્થિર થઈ રહેલ છે. કેવળ વિધિપદનું શ્રવણ થતાં શ્રોતા પ્રવૃત્તિ કરવા એટલે ઉત્સાહિત થતો નથી એટલે કર્મની અનેક પ્રકારે અથવાદે કરેલ પ્રશસ્તિના, અર્થવાદે જન્માવેિલા જ્ઞાનથી બરાબર સંસ્કૃત થયેલા મનવાળો શ્રોતા પ્રવૃત્તિ કરવા ઉત્સાહિત થાય છે. તેથી અર્થવાદપને વ્યાપાર શબ્દભાવનાના ઇતિકર્તવ્યાંશને પૂરે છે. આમ નિજય પુરુષને વ્યાપાર ( = પ્રવૃત્તિ, કૃતિ ) એ સાધ્ય છે, વિષય ( = આજ્ઞા ) વગેરેનું પ્રતિપાદન કરનાર પદને વ્યાપાર (લિંડ આદિ પદને વ્યાપાર) સાધન છે, અને અર્થવાદપદને વ્યાપાર ઇતિક્તવ્યતા છે, એટલે આ શબ્દભાવના પણ ત્રણ અંશેવાળી છે. અને આ શબ્દભાવના તે જ વિધિ છે. Tલૌકિક વાકથ લઈ આ વિષય સમજીએ. શેઠ નેકરને પાણી લાવવા આજ્ઞા કરે છેનરમ્ માનવ' (=પાણી લાવં). એ સાંભળી ને કરને જ્ઞાન થાય છે કે શેઠ મને પાણી લાવવા પ્રેરે છે. અર્થાત શેઠગત પ્રેરણા નામના વ્યાપારનું જ્ઞાન નેકરને થાય છે. આવું જ્ઞાન નેકરને થવાથી તે પાણી લાવવા માટે પ્રવૃત્તિ કરે છે અન્વય-વ્યતિરેકને આધારે નિશ્ચય થાય છે કે પ્રેરણજ્ઞાન પ્રવૃત્તિનું કારણ છે. પ્રસ્તુત ઉદાહરણમાં, જલપદનું, અવિભક્તિનું (દ્વિતીયા વિભક્તિનું કે આ પૂર્વક ની (આની ધાતુનું શ્રવણ કરવાથી આ પ્રેરણાત્તાન ઉત્પન્ન થતું નથી પરંતુ લિ (=વિધ્યર્થ), લેટું (આજ્ઞાર્થ) વગેરેનું શ્રવણ કરવાથી જ ઉત્પન્ન થાય છે એમ માનવું જોઈએ, કારણ કે “કરું માનવ” (= પાણી લાવે છે. એ વાકયમાં જલપદ, અમવિભક્તિ આ+ની ધાતુ હોવા છતાં તેઓનું શ્રવણ કરવાથી પ્રેરણાજ્ઞાન ઉપન્ન થતું નથી જ્યારે “ગઢમ્ માન' જેવાં લિડૂ લેટૂ આદિ ધરાવતા વાક્યો સાંભળવાથી પ્રેરણુજ્ઞાન ઉત્પન્ન થાય છે નિષ્કર્ષ એ કે લિ, લેના જ્ઞાનની સાથે પ્રેરણજ્ઞાનને અન્વય-વ્યતિરેક હેઈ લિ લેટુ ધારા પ્રેરણું વાચ્ય છે એટલે કે લિ, લેની પ્રેરણામાં શક્તિ છે એમ નિશ્ચિત થાય છે. ઉપરાંત, લિ આખ્યાત સામાન્ય તરીકે (લકાર તરીકે પ્રવૃત્તિને પણ વાચક છે. માનવ' એ સાંભળવાથી સાંભળનાર નેકરને “આનયનરૂપ ફળનું કારણ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિરૂપ ફળનું કારણ પ્રેરણારૂપ વ્યાપાર છે એવું જ્ઞાન થાય છે તેમાં, આની ધાતુથી તે આનયન જ જણાય છે એટલે બાકી રહેલા અર્થ પ્રવૃત્તિ વ્યાપાર તથા પ્રેરણવ્યાપારને જણાવનાર પ્રત્યયાંશ જ હોય. લિ તરીકે પ્રત્યયાંશથી વાચ્ચે જે ફક્ત પ્રેરણું નામ વ્યાપાર તે જ વિધિ કહેવાય છે ત્યારે આખ્યાત સામાન્ય તરીકે (Eલકાર તરીકે પ્રત્યયાંશથી વાચ્ય પ્રવૃત્તિ નામને વ્યાપાર કૃતિ કહેવાય છે પ્રવૃત્તિ ( કૃતિ) પ્રેરણાનું ફળ છે. પ્રસ્તુત ઉદાહરણમાં બે પુરુષો છે-શેઠ અને નેકર. શેઠમાં પ્રેરણારૂપ વ્યાપાર છે અને નેકરમાં પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે. પ્રેરણારૂપ વ્યાપારનું ફળ પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે અને પ્રવૃત્તિરૂપ વ્યાપારનું ફળ આનયન છે. પ્રેરણવ્યાપાર જેનામાં હોય તેને પ્રવર્તક કહેવામાં આવે છે. પ્રવૃત્તિ રૂપ વ્યાપાર જેનામાં હોય તેને પ્રત્યે કહેવામાં આવે છે. પ્રેરણવ્યાપારને પ્રવના વ્યાપાર પણ કહેવામાં આવે છે. “માનવ'અહીં લાવનાર નોકર લાવવા માટે હાલે, વગેરેને સાધન તરીકે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy