SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયાર્થ ભાવના છે એ મત ૨૪૧ यागादिरूपम् । यत् तदनुगतं व्यापाररूपं सा भावना । यथा च शाबलेयाद्यननुरक्तं पृथक्त्वेन गोत्वं दर्शयितुमशक्यम् , एवमिहापि शुद्धं यज्याद्यननुरक्तं व्यापाररूपं दर्शयितुमशक्यम् , तदुपरक्तत्वेन तस्य सर्वदाऽवगमात् । न चैतावता तस्य नास्तित्वं सुखदुःखाद्यवस्थानुगतस्येवात्मनः । तथा च किं करोतीत्यनवगतविशेषव्यापारसामान्यप्रश्ने सति, पचति पठति इति तद्विशेषोत्तरवचनमनुगुणं भवतीति । तच्च सामान्यरूपमपि न गोत्वादिवत् क्रियात्ववद्वा सिद्धतयाऽवभासते, येन विधेरविषयः स्यात् । अपि च यजेत दद्याज्जुहुयादिति सर्वत्र पूर्वापरीभूतखभावं तद्यापारसामान्यमवगम्यते । तेन विधेश्च विषयतां प्रतिपद्यते । तदिदं सकलधात्वर्थसाधारणं साध्यमानावस्थं व्यापारसामान्यं. भावनेत्युच्यते । अस्मिंश्च पक्षे धातुवाच्यत्वमपि भावनाया वक्तुं शक्यते । पाकादिशब्देभ्यो धातौ सत्यपि तदप्रतीतेन धातुवाच्यत्वं भावनाया इति चेत् , भवत्यादौ सत्यपि तर्हि प्रत्यये तदप्रतीतेः प्रत्ययवाच्यत्वमपि न स्यात् । तदलमनेन निर्धारणप्रयत्नेन । सर्वथा धातोर्वा प्रत्ययाद्वा भावनाऽवगम्यते इति सिद्धम् । 200. બીજા કેટલાક ધાત્વર્થોમાં રહેલા સામાન્યને ભાવના તરીકે સ્વીકારી યાગ, દાન વગેરેમાં રહેલા, ગોત્વ વગેરે જાતિ જેવા અનુસ્મૃત રૂપને ભાવના કહે છે જેમ શાબલેય વગેરે ગોવ્યક્તિઓમાં રહેલું સામાન્ય ગેરૂપ અને અન્ય ગવ્યક્તિઓમાં ન હોય એવું શાબલેય આદિ વિશેષરૂપ દેખાય છે, તેમ અહીં પણ યાગ આદિ કર્મોમાં સમાનપણે રહેલું સામાન્યરૂપ પુરુષવ્યાપાર અને તે કર્મોનું પરસ્પર જુદુ વિશેષરૂપ યાગ વગેરે દેખાય છે. યાગ આદિ કર્મોમાં સમાનપણે રહેલું સામાન્ય રૂપ પુરુ વ્યાપાર એ ભાવના છે. જેમ શાબલેય આદિ વિશેષરૂપથી અનુરક્ત ગોત્વ સામાન્યને સાવ અલગરૂપે દેખાડવું અશક્ય છે કારણ કે શાબલેય આદિ વિશેષ રૂપથી ઉપરક્તરૂપે =વિશિષ્ટરૂપે) જ તેનું સદા જ્ઞાન થાય છે, પણ એટલા માત્રથી ગોત્વનું અસ્તિત્વ નથી એમ નહિ, અને જેમ સુખ દુઃખ વગેરે અવસ્થાઓમાં અનુગત એવા આત્માનું જ્ઞાન તે તે અવસ્થ થી અવિશિષ્ટ રૂપે કેવળ રૂપે થતું ન હોવા છતાં તે અવસ્થાઓથી જુદા આત્માનું અસ્તિત્વ છે, તેમ યાગ આદિ વિશેષરૂપમાં અનુગત એવા પુરુષવ્યાપાર રૂપ સામાન્ય રૂપનું જ્ઞાન યાગ આદિ વિશેષરૂપથી અનનુરક્ત ( = અવિશિષ્ટ, કેવળ) રૂપે થતું ન હોવા છતાં તે યાગ આદિ વિશેષરૂપથી જુદા પુરુષ વ્યાપાર રૂપ સામાન્ય પનું અસ્તિત્વ છે જ. વળી, ‘વિ શોતિ(="તે શું કરે છે') એ, વિશેષ વ્યાપારનું જેમાં જ્ઞાન નથી એ, સામાન્ય પ્રશ્ન પૂછવ્વામાં આવતાં “પ્રતિ’ (=રાંધે છે', “પતિ' ( = “વાંચે છે.) એ વિશેષ વ્યાપારને જણાવતે ઉત્તર સામાન્ય પ્રશ્નને અનુકૂળ છે. અને તે પુરુષવ્યાપાર સામાન્ય રૂપ હોવા છતાં ગેd આદિની જેમ કે ક્રિયાત્વ આદિની જેમ સિદ્ધરૂપે જ્ઞાત થતું નથી કે જેથી તે વિધિને વિષય ન બને. વળી, “નેત’ ‘દયાત” “જુવાતું' એમ કહેતાં સર્વ પૂર્વાપર કમિક અવસ્થાઓ ધરાવવાના સ્વભાવવાળું
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy