SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ વાકયાથ ભાવના છે એ મત ભાવનાવાક્ષાર્થવાદી – આને ઉત્તર અમે આપીએ છીએ. કેવળ ક્રિયા એ ભાવના (= પુરુષવ્યાપાર ) નથી, પરંતુ પૂવોત્તર ક્રમમાં થતી દેખાતી સાધ્યરૂપ યજયા આદિના ભાવસ્વરૂપથી ( = કેવળ ક્રિયાના સ્વરૂપથી ) જુદે પ્રત્યય દ્વારા [ –પ્રકૃતિ દ્વારા નહિ- ] જાતે પુરુષવ્યાપાર ભાવના છે. [ કેવળ ક્રિયા એ ધાત્વ છે અને પ્રકૃતિ દ્વારા જણાય છે. પુર્ષવ્યાપાર લકારાર્થ છે અને પ્રત્યય દ્વારા જણાય છે.] ભાવના (= પુરુષવ્યાપાર) કેઈથી ઉત્પાદ્ય નથી. [ અર્થાત જેમ ભાવાર્થ (=ધાત્વર્થ= પ્રકૃત્યર્થ=કમ ક્રિયા) કારકો વડે ઉત્પાદ્ય છે તેમ ભાવના કેઈ વડે ઉપાદ્ય નથી. ] ભાવના કેઈની ઉત્પાદક પણ નથી. [ અર્થાત જેમ કારકે ધાત્વર્થના ઉત્પાદક છે તેમ ભાવના કેઈની ઉત્પાદક પણ નથી.] પરંતુ જન્ય અને જનક બંનેની તે કેવળ જનની છે. [ અર્થાત જેના કારણે ફળ જન્ય કહેવાય છે અને ભાવાર્થ જનક કહેવાય છે તે આ ભાવના છે, એટલે આ અર્થમાં તે જન્ય અને જનક બંનેની કેવળ જનની – પ્રાણપ્રદાત્રી છે જન્યની જન્યતા અને જનકની જનતા તેના ઉપર આધાર રાખે છે. અથવા, ભાવાર્થ ( = કમ)નું ઉત્પાદ્યત્વ અને કારકેનું ઉત્પાદકત્વ બંને પુરુષવ્યાપાર ( = ભાવના) ઉપર આધાર રાખે છે, એટલે પુરુષવ્યાપારરૂપ ભાવનાને જન્ય અને જનક બંનેની કેવળ જનની કહી છે. ] આમ ક્રિયા (= ભાવાર્થ ધાત્વર્થ પ્રકૃત્યર્થ) અને કારથી વિલક્ષણ એવી આ ભાવના શબ્દ દ્વારા જ્ઞાત થાય છે એ અર્થ છે. 192. ननु च यजेतेत्यत्र प्रकृत्यर्थों यागादिक्रिया, प्रत्ययार्थस्तु प्रेरणारूपो विधिः कर्तृसंख्यादिश्च । न तु धात्वभिधीयमानव्यापारव्यतिरिक्तो भावनाख्यः पुरुषव्यापारः प्रत्ययात् प्रतीयते । न हि भावनावाचिनी काञ्चिद् विभक्तिं स्मरति पाणिनिः, लिङादिमिव विध्यादौ । तस्मान्न भावना वाक्यार्थः । 192. શંકાકાર – “ ( = યજ્ઞ કરે ”) એમાં પ્રકૃત્યર્થ (= ધાત્વર્થ = ભાવાર્થ) યોગક્રિયા છે, પરંતુ પ્રત્યયાર્થ પ્રેરણારૂપ વિધિ અને કર્તાની સંખ્યા વગેરે છે. ધાતુથી અભિહિત થતા વ્યાપારથી જુદો ભાવના નામને પુરુષને વ્યાપાર પ્રત્યયમાંથી જ્ઞાત થતું નથી. જેમ પાણિનિ વ્યાકરણસ્મૃતિમાં લિડ વગેરેને વિધિ વગેરેના વાચક જણાવે છે તેમ તે ત્યાં ભાવનાની વાચક કેઈ વિભક્તિને જણાવતા નથી. તેથી ભાવના વાક્યર્થ નથી. ___193. उच्यते । भावनाऽपि प्रतीयते एवाख्याताद् यदि नैपुण्येन शाब्दी प्रमितिरवमृश्यते । आस्तां विधिपदं तावद्वर्तमानोपदेशिनः । शब्दाद् यजत इत्यादेर्भावना न न गम्यते ॥ ‘पचति' 'गच्छति' इति अतो यथा पाकादिर्धात्वर्थः प्रतीयते, तथा सर्वानुगतः कर्तृव्यापारोऽपि, पाकाधुपजननापायेऽपि व्यापारप्रतीतेरनपायात् । यथा हि 'औपगवः'
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy