________________
વેદના કર્તાની સ્મૃતિ અશક્ય છે એ મીમાંસક મત
अधीयमाने दृष्टेऽस्मिँस्तदा संशेरते जनाः । किमेष रचयेद् वेदमुत वाऽन्यकृतं पठेत् ? ।। यत्कृतं वा पठेदेष तस्मिन्नपि हि संशयः । भङ्गया चेदमनादित्वमुन्मीलदिव दृश्यते ॥ असत्यादिप्रमाणे च कर्तृताऽनुभवं प्रति । स्मृतिः प्रबन्धसिद्धाऽपि स्पृशत्यन्धपरम्पराम् । योगिभिर्ग्रहणं कर्तुरित्येतदपि दुर्यचम् । कर्तृता हृदि दुर्बोधा कथं गृह्यत तैरपि ? ।। योगिभिः सा गृहीतेति वयमेतन्न मन्महे । अमन्वानाश्च गच्छेम विस्रब्धास्तत्पथं कथम् ॥ वेदात् कवबोधे तु स्पष्टमन्योन्यसंश्रयम् ।
ततो वेदप्रमाणत्वं वेदात् कर्तुश्च निश्चयः ।। 8. મીમાંસક – વેદના કર્તાનું સ્મરણ કરાતું નથી તેમ જ તેનું સ્મરણ કરવું શક્ય પણ નથી, કારણ કે સ્મૃતિ થાય છે ત્યારે તેના મૂળમાં જેની સ્મૃતિ હોય તેને અનુભવ રહેલો હોય છે અને અહીં તે મૂળમાંય કર્તાને અનુભવ કેઈને થયો નથી. કિર્તાને અનુભવ કોઈનેય નથી થય] કારણ કે સર્ગને આદિ જ નથી, અથવા સગને આદિ હોય તે પણ તેને કર્તા અશરીરી હોઈ દર્શનયોગ્ય નથી.
વેદને કર્તા સશરીરી છે. એ પક્ષમાં તે સિશરીરી] કેઈક પુરુષ તે વખતે સિગની શરૂઆતમાં) હોવા છતાં વેદને કરતો (=રચ) દેખાતો નથી. તે શરીરી પુરુષને વેદનું અધ્યયન કરતે દેખવા છતાં તે વખતે [સર્ગની શરૂઆતમાં લેકે તેની બાબતમાં શંકા સેવે છે કે શું એ વિદની રચના કરે છે કે પછી અન્ય રચેલા વેદનું પઠન કરે છે ? જેણે રચેલા વેદનું આ પઠન કરે છે તેની બાબતમાં પણ સંશય થાય છે [ કે તેણે પણ પિતે વેદ ર હશે કે બીજાએ રચેલાનું તેણે પઠન જ કર્યું હશે. અને આ રીતે તે વેદનું અનાદિવ જાણે ફુટ થતું દેખાય છે. કર્તાતાના અનુભવરૂપ આદિ પ્રમાણ ના હોય તે, સ્મૃતિ ભલેને વંશપરંપરાથી ચાલી આવતી હોય તે પણ અંધપરંપરા (જેમાં એક અંધ બીજા અંધને દોરે છે) જેવી જ છે. વેદના કર્તાનું ગ્રહણ ભેગીઓ કરે છે એમ કહેવું પણ કઠિન છે કારણ કે જે કતૃતાને મનથી જાણવી મુશ્કેલ છે તેને તેઓ પણ કેવી રીતે ગ્રહણ કરી શકે ? વેદની કતા યોગીઓએ જાણેલી છે એ મતને અમે મીમાંસકો માનતા નથી. એને ન માનનારા અમે વિશ્વાસપૂર્વક તૈયાયિકના માર્ગે કેવી રીતે જઈશકીએ ? વેદમાંથી વેદકતનું જ્ઞાન થાય છે એમ જે કહે તે અ ન્યાશ્રયદોષ સ્પષ્ટ છે. વેદના કર્તાને કારણે વેદ પ્રમાણે છે અને વેદમાંથી કર્તાને નિશ્ચય થાય છે; [અથાત વેદ પ્રમાણે છે કારણ કે તેને કત (આત પુરુષ) છે. (આત પુરુષ) વેદને કર્તા છે કારણ કે પ્રમાણભૂત વેદ કહે છે.] .