SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૯૮ વ્યક્તિ વાર્થ છે એ પક્ષ न व्यक्तिलक्षणाद्वारमियत्कार्य च युज्यते । वक्रः पन्था न गन्तव्यः प्रष्ठे वहति वर्मनि ।। उपलक्षणमाश्रित्य जातिसम्बन्धवेदनम् । प्रसेत्स्यतीति नानन्त्यव्यभिचारकृतो ज्वरः ।। વિશ્વ— प्रत्यक्षविषये वृत्तिः पदस्येष्टा परैरपि । निष्कृष्टं न च सामान्यमानं प्रत्यक्षगोचरः ॥ व्यक्तेरेव पदार्थत्वं तस्मादभ्युपगम्यताम् । तथा च बुद्धिस्तत्रैव श्रुतशब्दस्य जायते ॥ 122. વ્યક્તિને ક્રિયા સાથે સંબંધ છે (અર્થાત ક્વિા વ્યક્તિ કરે છે. જાતિમાં શબ્દાર્થસંબંધ સુલભ છે, આકૃતિમાં તે બંનેય નથી, એટલે આકૃતિ શબ્દને વાગ્યાથ યાંથી હોય ? માટે જાતિ અને વ્યક્તિ એ બેમાંથી વાગ્યાથું કોને ગણવી એનો નિશ્ચય કરે જોઈએ. પ્રયોગ અને વેદને અમુક કર્મ કરવા માટે આદેશ એ બેને વ્યક્તિ સાથે સંવાદ ઘટ હોઈ વ્યક્તિ શબ્દાર્થ છે. કાપવું (આલ ભન), મારી નાખવું (વિશસન), છાંટવું (પ્રોક્ષણ) વગેરે કમ કરવા માટેની વેદના આદેશે જાતિમાં સંગત થતા નથી, કારણ કે જાતિ કપાતી નથી, મરાતી નથી કે છંટાતી નથી. વળી, છ આપવી જોઈએ, બાર આપવી જોઈએ, ચોવીસ આપવી જોઈએ એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે છ વગેરે સંખ્યા સાથે જાતિ જોડાતી નથી, પણ વ્યકિત જોડાય છે. તેથી વ્યકિત જ શબ્દાર્થ છે. ઉપરાંત, “પકડી લાવેલું પશુ જે ભાગી જાય છે તે જ રંગનું અને તે જ વયનું બીજુ (પશુ) યજ્ઞમાં કાપવું’ આમ કહેવામાં આવ્યું છે. હવે જે જાતિ શબ્દાર્થ હોય તે અન્યને કાપવાનું ઘટે નહિ, કારણ કે લાવવામાં આવતા બીજા પશુદ્રવ્યની એ જ જાતિ છે, બીજી જાતિ નથી 1 અન્યત્વ સાથે સંબંધ વ્યકિતમાં ઘટે છે, જતિમાં ઘટતું નથી એ કારણે પણ વ્યકિત શબ્દાર્થ છે. ચયાપચય, સંધાત, સ્વસ્વામિત્વસંબંધ આદિ કલ્પનાઓની સંગતિ વ્યક્તિવાચ. ત્વપક્ષમાં ઝટ થાય છે. વ્યક્તિને ગૌણાર્થ માની આટલાં કાર્યો ઘટાવવા શકય નથી. જે સીધે રસ્તે હેય તે વાંકા રસ્તે ન જવું જોઈએ. ઉપલક્ષણની (= અર્થપત્તિની. લક્ષાણાની કે ગૌણીવૃત્તિની) સહાય લઈ જાતિ શબ્દસંબંધનું જ્ઞાન સિદ્ધ થઈ જશે, એટલે આનન્ય અને વ્યભિચારને કારણે આવતે દોષ રહેશે નહિ. બીજાઓ પણ પદને વ્યાપાર (=અભિધાવૃત્તિ પ્રત્યક્ષા વિષયમાં ઇચ્છે છે. [બધી વ્યકિતઓમાંથી મન વડે જ તારવેલ કેવળ સામાન્ય પ્રત્યક્ષાને વિષય નથી. તેથી વ્યકિતને જ શબ્દના વાચ્યાર્થી તરીકે સ્વીકારો. શબ્દ સાંભળતાં માણસને વ્યક્તિનું જ જ્ઞાન થાય છે. . 123. તવેતનૈમિનીને ક્ષતે તથા દિક્તિમાત્ર વા રદ્ધાર્થ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy