________________
. ૧૫૪ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિલમતનું બૌદ્ધ ખંડન
विचित्रविकल्पप्रबन्धविप्रलब्धबुद्धयः खल्वेवं मन्यन्ते । भवन्तु ते, न त्वेकं वस्तु बहुरूपं भवितुमर्हति ।
एकं हि वस्तुनो रूपमितरत् कल्पनामयम् । ' नानुवृत्तविकल्पेषु विस्रम्भ उचितः सताम् ॥ प्रागितो ह्यन्यसंस्पर्शनैरपेक्ष्येण दृश्यते । स्वलक्षणमतो भेदस्तात्त्विकोऽनुगमो मृषा । दृढादृढत्वमक्षुण्णमपरीक्ष्यैव संविदाम् । द्वयप्रतीतिमात्रेण द्वयाभ्युपगमो भ्रमः ॥ न नेति प्रत्ययादेव मिथ्यात्वं केवलं धियाम् । किन्तु युक्तिपरीक्षाऽपि कर्तव्या सूक्ष्मदर्शिभिः ॥
'' 25. બદધ-ભાટ મીમાંસકે આ જે કહે છે તે બુદ્ધિને રુચે એવું નથી. એક વસ્તુના અનેક વિધ સ્વરૂપની વાત કરતા મીમાંસકે પોતે દેષ જણાવવાની અમારી મુખરતા ઢાંકી દીધી છે (અર્થાત દે એટલા સ્પષ્ટ છે કે દેષ દર્શાવવાની અમારી મુખરતાને કઈ અવકાશ જ રહેતો નથી.) તે જ સામાન્ય છે અને તે જ વિશેષ છે, તે જ એક છે અને તે જ અનેક છે, તે જ નિત્ય છે અને તે જ અનિત્ય છે, તે જ સત છે અને તે જ અસત છે એમ મીમાંસકે જેનેનું બેલેલું બેલે છે. તેઓ બોલે છે પણ તે તેમને શોભતું નથી. જે તમે મીમાંસકો કહેતા હો કે [એક વસ્તુનાં બે સ્વરૂપો] દેખાય છે એટલે તેિ બે સ્વરૂપમાં] વિષેધ નથી તે અમે કહીએ છીએ કે તેમ નથી કારણ કે એક વસ્તુનાં બે સ્વરૂપને અનુભવ આપણને નથી. અનેકમાં એક અનુપૂત અર્થને સામાન્યને ગ્રહણ કરનાર નિવિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ નથી એમ કહ્યું છે. યુનિર્વિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ પછી તરત જ ઉત્પન્ન થનાર “ગાય” “ગાય” “એવા એકાકાર]વિવિધ સવિકલ્પક પ્રત્યક્ષોથી છેતરાયેલી બુદ્િધવાળાઓ ખરેખર આમ માને છે (અર્થાત અનેકમાં અનુસ્મૃત એક સામાન્યને નિર્વિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ ગ્રહણ કરે છે એમ માને છે.) ભલે સામાન્ય અને વિશેષ બે હો; પરંતુ એક વસ્તુ અનેક સ્વભાવવાળી હોઈ શકે નહિ, કારણ કે વસ્તુને એક સ્વરૂપ (વિશેષ હોય છે, બીજુ સ્વરૂપ = સામાન્ય) તો કલ્પનામય છે. એકાકાર સવિકલ્પક પ્રત્યક્ષામાં ડાહ્યા માણસોએ વિશ્વાસ રાખ ઉચિત નથી. આની (= સવિકલ્પક પ્રત્યક્ષની) અનન્તર પૂર્વે અન્ય સંસ્પર્શનિરપેક્ષપણે
સ્વલક્ષણ =વિશેષ)નું પ્રત્યક્ષ થાય છે. તેથી વિશેષ તાવિક છે, સત છે જ્યારે સામાન્ય મૃષા છે, મિથ્યા છે. જ્ઞાનેના દેહત્વ અદઢવની પરીક્ષા કર્યા વિના જ, કેવળ બેની પ્રતીતિને લીધે જ, બેને સ્વીકાર કરવો એ ભ્રમ છે “ક નથી' એવી પ્રતીતિને અંધારે જ નવિષયક બુદ્ધિ બ્રાત છે એમ ન કહેવાય પરંતુ તે બુદ્ધિના ભ્રાન્તાબ્રાન્તત્વના નિર્ણય માટે સૂક્ષ્મદશીઓએ તકથી પરીક્ષા કરવી જોઇએ.