SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જાતિનું વ્યક્તિમાં રહેવું કઈ રીતે ઘટતું નથી એ બૌદ્ધ મત રીતે જાતિ અને વ્યક્તિ જુદા જુદા દેશમાં ગૃહીત થતાં નથી, એટલે તેઓ જુદાં નથી (અર્થાત્ સામાન્ય વ્યક્તિથી જુદુ નથી). 10. अतश्चैवं तदग्रहे तबुद्धयभावात् । यद्धि यतो व्यतिरिक्तं तत् तस्मिन्नगृह्यमाणेऽपि गृहयते, घटादिव पटः । न च व्यक्तावनुपलभ्यमानायां जातिरुपलभ्यते । तस्मान्न ततोऽसौ भिद्यते । 10. વળી, એકનું ગ્રહણ ન હતાં બીજાનું જ્ઞાન પણ થતું ન હોવાથી તેઓ જુદાં નથી], કારણ કે જે જેનાથી જુદુ હોય તે, તેનું ગ્રહણ ન થવા છતાં ગૃહીત થાય છે, જેમકે ઘટથી જુદા પટ. પરંતુ વ્યક્તિનું ગ્રહણ ન થયું હોય ત્યારે જાતિ ગૃહીત થતી નથી. તેથી જાતિ વ્યક્તિથી જુદી નથી. 11. तवृत्तित्वात् सामान्यस्य तदग्रहे तदनुपलब्धिरिति चेत्, न, वृत्त्यनुपपत्तेः । किं प्रतिपिण्डं कायेन वर्तते जातिरुतैकदेशेनेति द्वयमपि चानुपपन्नम् पिण्डे सामान्यमेकत्र यदि कात्न्येन वर्तते । तत्रैवास्य समाप्तत्वान्न स्यात्पिण्डान्तरे ग्रहः ।। एकदेशेन वृत्तौ तु गोत्वजातिर्न कुत्रचित् । समग्राऽस्तीति गोबुद्धिः प्रतिपिण्डं कथं भवेत् ।। जातेश्च निरवयवत्वान्न केचिदेकदेशाः सन्ति, यैरेषा प्रतिपिण्डं वर्तते । न चैकत्र पिण्डे समाप्त्या वर्तमाना पिण्डान्तरे समाप्त्यैव वर्तितुमर्हति, समाप्तस्य पुनरुत्पत्तिं विना समाप्त्यन्तरानुपपतेः । तथाभूतस्य च वृत्तिप्रकारस्य क्वचिदप्यदर्शनात् । 11. સામાન્ય વ્યક્તિમાં રહેતું હોઈ વ્યકિતનું ગ્રહણ ન થયું હોય ત્યારે સામાન્યનું ગ્રહણ થતું નથી એમ જે તમે નયાયિકે કહેતા હે તે તે યોગ્ય નથી, કારણ કે સામાન્ય વ્યકિતમાં રહેવું જ ઘટતું નથી. શું તે વ્યકિતમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે? બંને વિક ઘટતા નથી. જે તે એક વ્યકિતમાં સમગ્રપણે રહેતું હોય તે તેમાં જ તે સમાપ્ત થઈ જશે અને પરિણામે અન્ય વ્યક્તિમાં તેનું ગ્રહણ નહિ થાય. જે તે અંશતઃ રહેતું હોય તે ગાવસામાન્ય કેઈપણ ગવ્યક્તિમાં સમગ્રપણે નહિ મળે અને તે પછી પ્રત્યેક ગોવ્યકિતની બાબતમાં ગેબુદ્ધિ કેવી રીતે જન્મશે ? વળી, સામાન્ય નિરશ હોઈ તેને કઈ અંશે તે છે નહિ કે જે અંશે વડે તે પ્રત્યેક વ્યકિતમાં અંશતઃ રહે. એક વ્યક્તિમાં સમા. થઈને રહેલું સામાન્ય બીજી વ્યક્તિમાં સમાપ્ત થઈને રહી શકે નહિ, કારણ કે જે સમાપ્ત થઈ ગયેલ હોય તેની બીજી સમાપ્તિ પુનઃ ઉત્પત્તિ વિના ઘટે નહીં. આ જાતનું રહેવું તે કદી પણ દેખ્યું નથી.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy