SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ અનુમાનથી જુદું પ્રમાણ નથી તેથી, અનુમાનના લક્ષણ વડે શબ્દનો આક્ષેપ થત હેઈ, શબ્દ માટે અન્ય લક્ષણ કહેવું ન જોઈએ. પક્ષવિષયગ્રાહીતા બંનેમાં સમાન છે. સામાન્ય વિષયગ્રાહીતા પણ બંનેમાં છે કારણ કે બંને સંબંધની અપેક્ષા રાખે છે. સંબંધ અજ્ઞાત હોય ત્યારે બેમાંથી એક પણ પ્રવૃત્ત થતું નથી. અને વિશેષ અનંત હાઈ, સંબંધ અત્યંત દુય છે. જેમ પ્રત્યક્ષ વડે ધૂમને દેખીને અગ્નિનું અનુમાન થાય છે તે જ રીતે શબ્દને સાંભળીને તેના અર્થ જ્ઞાન થાય છે. અનુમાનની જેમ અહીં પણ અન્વય-વ્યતિરેક બને છે. જે શબ્દ જે અર્થમાં પ્રિયે જાતા] દેખાય છે તે શબ્દ તે અર્થને વાચક છે. જેમ અગ્નિમાન હોવાને કારણે ધૂમને પક્ષ ગણવામાં આવે છે તેમ શબ્દને જ પક્ષ કલ્પવામાં આવશે કારણ કે તે અર્થવાન છે. અનુમાનમાં ઘૂમવસામાન્ય જેમ હેતુ બને છે તેમ અહીં પણ ગે, અશ્વ, આદિ શબ્દસામાન્ય હેતુ બનતા દેખાય છે. આમ વિષય અને કારણ સામગ્રીની સમાનતાને આધારે તેમને એકત્વને નિશ્ચય થતું હોય તે કઈક [તુચ્છ] વિલક્ષણતા તેમના અન્યત્વનું કારણ ન બની શકે. ક્રમથી જાગેલા પૂર્વવર્ણોના સંસ્કારોની સહકારિતા, પુરૂષાપેક્ષ અસ્તિત્વ, વિવક્ષાને અનુસરવાને નિયમ વગેરે વિશેષોને લીધે શબ્દ અનુમાનથી જુદું પ્રમાણુ બની જતો નથી. કાર્ય, કારણ, ધર્મ, વગેરે વિશે શું અનુમાનમાં નથી ? [કોઈ અનુમાનમાં હેતુ કાર્ય છે, કઈ અનુમાનમાં હતું કારણ છે, ઈત્યાદિ. એથી શું એ બધાં અનુમાને સ્વતંત્ર પ્રમાણે બની જાય છે ?] શબ્દને ઈચ્છા પ્રમાણે વિનિયોગ શક્ય છે એ પણ કંઈ તેના અનુમાનથી ભિન્ન હોવાનું કારણ નથી, કારણ કે હસ્તસંજ્ઞા વગેરે લિંગની બાબતમાં પણ ઈચ્છા પ્રમાણે વિનિયોગ દેખાય છે. [‘જયારે આંગળીઓ આ પ્રમાણે હોય ત્યારે આ અર્થ સમજવો” – આ ઉદાહરણમાં હસ્તસંજ્ઞારૂપ લિંગને ઈચ્છા પ્રમાણે વિનિધોગ છે જ.] વિષય અભ્યસ્ત હોય ત્યારે દષ્ટાન્તનિરપેક્ષતા [યા સંબંધમ્મરણનિરપેક્ષતા] તે બંનેમાં સમાનપણે હોય છે, જયારે વિષય અનવ્યસ્ત હોય ત્યારે સંબંધસ્મરણાપેલા બંનેને હોય છે. જેમ “અશ્વ” વગેરે શબ્દો જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન જ્ઞાન ઉત્પન્ન કરે છે તેમ અસ્પષ્ટ લિંગ પણ જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન જ્ઞાને ઉત્પન્ન કરે છે. જેમ પ્રમાણુભાસતાને કારણે અનેક અર્થોને ભ્રમ કરાવનાર લિંગ સ્કુટ અને નિશ્ચય નથી કરાવતું તેમ પ્રમાણભાસતાને કારણે અનેક અર્થોને ભ્રમ કરાવનાર શબ્દ પણ કુટ અર્થને નિશ્ચય નથી કરાવતો. વળી, શબ્દથી જયારે પણ કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શબ્દ આપ્ત પુરુષને છે તેથી એ લિંગ દ્વારા [વિષયનું] નિશ્ચિત જ્ઞાન થાય છે. એટલે જ બુદ્ધિમાને “આપ્તવચન બાહ્ય વિષય સાથે અવિસંવાદી હોય છે એ વ્યાપ્તિને આધારે શબ્દને પણ અનુમાન જ માને છે. વળી, શબ્દનું પ્રામાણ્ય કેવળ વકતાની વિવક્ષામાં જ છે, બાહ્ય અર્થમાં નથી કારણકે શાદ જ્ઞાનને બાહ્ય અર્થ સાથે વિસંવાદ - વ્યભિચાર જણાય છે. એટલે, શબ્દ વિવક્ષાનું લિંગ છે, [બાહ્ય અર્થનું નથી]. 9. તત્રામિથી તે – દ્વિવિધ રાઇ, પઢામાં વાયામ તિા તત્ર वाक्यमनवगतसम्बन्धमेव वाक्यार्थमवगमयितुमलम्, अभिनवविरचितश्लोकश्रवणे सति पदसंस्कृतमतीनां तदर्थावगमदर्शनात् । अतः सम्बन्धाधिगममूलप्रवृत्तिनाऽनुमा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy