SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તેમજ શત્રુરૂપી સંકટમાં બખતર સમાન છે, શીતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવામાં ઉષ્ણતારૂપ છે, તેમજ પાપના મર્મને જાણનાર છે. ધર્મથી જીવ રાજા થાય છે, વાસુદેવ બળદેવ ચક્રવર્તી થાય છે, ધર્મથી દેવ, ઇંદ્ર, અમિદ્ર, રૈવેયક અને અનુત્તરવાસી દેવ, અનુત્તર વિમાનમાં અહમિદ્રપણું પ્રાપ્ત થાય છે, એટલું જ નહિ પણ ધર્મથી તીર્થકર પદને પણ ઉપાર્જન કરે છે. આ જગતમાં ધર્મથી જ સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે, દુર્ગતિને વિષે પડતાં જીવોને ધારણ કરી રાખવાથી, ધર્મકહેવાય છે કિંબહુના ? ધર્મ તે જ જગતના જીવોને તારનાર છે, તે ધર્મ દાન શીયળ, તપ અને ભાવ, એ ભેદ વડે ચાર પ્રકારનો છે. તેમાં જે દાન ધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપગ્રહ દાન એ નામથી ત્રણ પ્રકારે કહેલો છે. તેમાં ધર્મને નહિ જાણનારા પુરુષોને, વાચંના અગર દેશનાદિકનું દાન આપવું અગર જ્ઞાનના સાધનોનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે, જ્ઞાનદાનવડે કરીને પ્રાણી પોતાના હિત અહિતને જાણી શકે છે, તેથી જીવાદિક તત્ત્વોને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે, જ્ઞાનદાનથી પ્રાણી ઉજવળ કેવલજ્ઞાન પામી, સર્વ લોકના અનુગ્રહકારી, લોકાગ્ર ઉપર આરૂઢ થાય-છે મોક્ષપદને પામે છે. મન, વચન, કાયાએ કરી જીવનો વધ કરવો નહિ, કરાવવો નહિ, તેમજ જીવનવધ કરનારની અનુમોદના કરવી નહિ તેનું નામ અભયદાન કહેવાય છે. તે જીવ ત્રસ અને સ્થાવર એ ભેદથી બે પ્રકારે છે, અને તે બન્નેની પર્યાપ્તિ એટલે પોતાને જેટલી હોયતેટલી પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત કહેવાય છે અને અપર્યાપ્ત, એટલે પર્યાપ્તિ પૂરી કર્યા સિવાય મરણ પામે તે અપર્યાપ્યો કહેવાય છે. એ ઉપરોક્ત બે પ્રકારે છે. પર્યાપ્ય પણાનાકારણરૂપ છ પર્યાદ્ધિઓ કહેલી છે. ૧. આહાર, ૨. શરીર, ૩. ઇંદ્રિય. ૪. શ્વાસોશ્વાસ. પ. ભાષા. અને ૬. મન. M૭૩ 93 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy