SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તો ૯૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર, ૯૨૫ પલ્યોપમ, અને ઉપર પલ્યોપમના આઠી યા સાત ભાગ જેટલું દેવનું આયુષ બાંધે છે, ૪. સો વર્ષની એક ઘડીયો ૨૧ લાખ અને ૬૦ હજાર થાય છે, તેમાંથી ફક્ત એક જ ઘડી શાંતિથી, કોઈપણ માણસ ધર્મકરણી કરે તો ૪૬ ક્રોડ, ૨૯ લાખ, ૬૬ હજાર, ૯ સો, કાંઈક ઓછા ૬૩. પલ્યોપમના દેવના આયુષ્યને બાંધે છે. જે માણસની એક પણ ઘડી ધર્મ વિનાની જાય છે તેનો જન્મ સર્વ પ્રકારે નિષ્ફળ જાણવો. ૫. સો વર્ષના શ્વાસોશ્વાસ ૪૦૭ ક્રોડ, ૪૮ લાખ, ૪૦ હજાર થાય છે, તેમાંથી એક શ્વાસોશ્વાસ પણ જો કોઈ માણસ ધર્મકરણી કરે તો ૨ લાખ, ૪૫ હજાર, ૪૦૮ પલ્યોપમ કાંઈક ઓછા ચાર ભાગ જેટલા દેવતાનું આયુષ્ય બાંધે છે. ૬. એક નવકાર ગણે અગર આઠ શ્વાસોશ્વાસ કોઈ માણસ ધર્મકરણી કરે તો ૧૯ લાખ, ૬૩ હજાર, ૨૬૮ પલ્યોપમના દેવતાના આયુષ્યને બાંધે છે. ૭. એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે, અગર પચીસ શ્વાસોશ્વાસ કોઈ પણ માણસ ધર્મકરણી કરે તો, ૬૧ લાખ, ૩૫ હજાર, ૨૧૦ પલ્યોપમના દેવતાના આયુષ્યને બાંધે છે. (ઉપદેશ ૨૪ મો.) ધર્મની શ્રેષ્ઠતા ધર્મ જે તે ઉત્કૃષ્ટ મંગળ છે, સ્વર્ગ મોક્ષને આપનાર છે. સંસારરૂપી વનને ઉલ્લંઘન કરવામાં માર્ગ બતાવનાર છે. ધર્મ માતાના પેઠે પોષણ કરનાર છે, પિતાના પેઠે રક્ષણ કરનાર છે, મિત્રની જેમ પ્રસન્ન કરનાર છે, સ્ત્રીના પેઠે સુખ કરનાર છે, સ્વામીના પેઠે ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા કરાવનાર છે, તેમજ ગુરુના પેઠે ઉજવળ ગુણોનું આરોપણ કરી ઊંચી હદે પહોંચાડનાર છે. ધર્મ જે છે તે સુખનો તો એક અદ્વિતીય મહેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy