SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૬. સંવેગ નિર્વેદ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ, તથા તત્ત્વાદિકનો અધિગમ-આ વિગેરે ગુરુમહારાજના ઉપદેશને શ્રવણ કરવાનું ફળ છે. તેને જે માણસ ગુરુમુખથી શ્રવણ કરતો નથી તે માણસ ઉપદેશ શ્રવણ કરવાના ગુણોનું ફલ કેવી રીતે જાણી શકે ? માટે ગુરુમહારાજના ઉપદેશને શ્રવણ કરવો તે પણ ધર્મના હેતુભૂત છે. ૭. જેવી રીતે છિદ્રવાળા ઘડામાં નાખેલું પાણી ટકી શકતું નથી, તેમજ નીચે ઢળી જવાથી વિશિષ્ટ ગુણના હેતુભૂત થતું નથી, તેવી જ રીતે ગુરમહારાજની વાણીરૂપી વારિ કહેતાં પાણી હૃદય રૂપી ઘડાને વિષે ધારણ કર્યા સિવાય કેવી રીતે ટકી શકનાર હતું? માટે અવધારણા પણ ધર્મના હેતુભૂત છે. ૮. ગુરુમહારાજની ઉપદેશને શ્રવણ કરી હૃદયમાં રાખ્યો, પરંતુશ્રદ્ધારહિત જીવોને, વંધ્યા ગાયના પેઠે તે કોઈપણ ઉપકાર કરનાર થઈ શકતો નથી, માટે શ્રદ્ધા તે પણ ધર્મના હેતુભૂત છે. (ઉપદેશ ૨૩મો) ધર્મફળ સો વર્ષના ૩૬ હજાર દિવસો થાય છે, મનુષ્યનું તેટલું આયુષ્ય હોય, તો પણ સમયે સમયે ક્ષીણ થાય છે. ૧. જે માણસ તપ સહિત પૌષધ કરી, ધર્મકરણી કરતો, એક દિવસ નિર્ગમન કરેતો ૨૭૭૦ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ પલ્યોપમ ને પલ્યોપમના સાતમા ભાગ જેટલું દેવનું આયુષ બાંધે છે. ૨. સો વર્ષના ર લાખ, ૮૮ હજાર પ્રહારો થાય છે, તેમાંથી જે મનુષ્ય એક પ્રહરે પૌષધ અગર ધર્મકરણી કરે, તો ૩૪૭ ક્રોડ, ૨૨ લાખ, ૨૨ હજાર, ૨૨૨ પલ્યોપમ ઉપર પલ્યોપના બે ભાગ જેટલું આયુષ્ય બાંધે છે. ૩. સો વર્ષના અંતર્મુહુર્ત (બેઘડીયો) ૧૦ લાખ, ૮૦ હજાર થાય છે, તેમાંથી ફક્ત બે ઘડી શાંતિ રાખી, કોઈ માણસ સામાયિક કરે ૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy