SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ માગું કરીશું માટે કુંડીનું શું કામ છે? અથવા ચોલપટ્ટાના આપણે પડલા કરીશું માટે જુદા પડલા રાખવાની કોઈ જરૂર નથી અને ચોમાસામાં જો વરસાદ ન આવતો હોય તો સાધુઓને વિહાર કરવામાં શું દોષ છે ? અથવા ચોમાસામાં સાધુઓને વસ્ત્ર વહોરવાથી શું દોષ છે ? વહોરે તો કાંઈ હરકત નથી. એમ કુભાષણ કરે અથવા પોતાને ગમતું ન લગાડેતો અહો ! તીર્થકર આ પ્રમાણે કયાં કાં ? ઇત્યાદિ સ્વમતિકલ્પનાથી ભૂત ગ્રસિત અથવા ગાંડા માણસની પેઠે બોલે અને તેનું મન પણ શુદ્ધ હોય નહિ તે મિથ્યાદષ્ટિ યથાજીંદી જાણવો. એ પાંચે કુગુઓનું વિશેષ સ્વરૂપશ્રી વ્યવહાર ભાષ્ય આવશ્યક સૂત્ર તથા યોગબિંદુ વિગેરેમાં છે. (ઉપદેશ ૨૨ મો ) ધર્મનાં હેતુઓ ૧. પોતે માપેલા વ્રત, નિયમ, તપનો પારગામી કુલહીન માણસ થઈ શકતો નથી, માટે કુલ પણ ધર્મના હેતુભૂત છે. ૨. હીનાધિક અગોપાંગવાળો માણસ પ્રાયઃ કરીને વિષમ પ્રકૃતિવાળો હોય છે તેથી તેને વિષ ગુણો હોતા નથી માટે રૂપવાન મનુષ્ય પણ ધર્મના હેતુભૂત છે. ૩. કુષ્ટ, જળોદર, કાસ-શ્વાસ, જવર ભગંદર વિગેરે રોગાદિક દુઃખયુક્ત માણસ, વ્રતાદિક ધર્મકરણી કરવામાં શક્તિમાન થઈ શકતો નથી માટે નીરોગી શરીર પણ ધર્મના હેતુભૂત છે. ૪. જે માણસ અલ્પાયુષવાળો હોય તે માણસ સંયમ, તપ, જપ, જ્ઞાનવૃદ્ધાદિકને કરી શકતો નથી, માટે દીર્ઘ આયુષ્ય ધર્મના હેતુભૂત છે. પ. નિર્મળ બુદ્ધિ રહિત જે માણસ હેય, શેય, ઉપાદેય ધર્મની પરીક્ષાને જાણી શકતો નથી, તે માણસ બુદ્ધિના અભાવે આત્મહિત કેવી રીતે સાધી શકે ? માટે નિર્મળ બુદ્ધિ પણ ધર્મના હેતુભૂત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy