SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ભગવાનના વચનને માનનારા છે, અને નહિ વૈચાવચ્ચ કરનારા ભગવાનના દર્શનને માનનારા નથી એમ સચોટ જણાવે છે, માટે ઉત્તમ જીવોએ ગ્લાનીની વૈયાવચ્ચ કરવા ચૂકવું નહિ એટલું જ નહિ પરંતુ દ્રઢભાવથી વૈયાવચ્ચ કરવી. શ્રાદ્ધદિનકૃત્યે | (ઉપદેશ એ શમો) ये व्यापारपरायणाः प्रणयिनी प्रेमप्रवीणाश्च ये । ये धान्यादिपदिग्रहाग्रहगृहं सर्वाभिलाषाश्च ये ॥ ये मिथ्यावचनप्रपंचचतुरा येऽहर्निशं भोजिनः । स्ते सेव्या न भवोदधौ कुगुरवः सच्चिद्रपोता इव ॥ ભાવાર્થ : જે વ્યાપાર કરવામાં તત્પર હોય, જે સ્ત્રીયોના સાથે પ્રેમ કરવામાં પ્રવીણ હોય, જે ધાન્યાદિક પરિગ્રહને ગ્રહણ કરવાના આગ્રહના ઘર જેવા હોય અર્થાત્ અત્યંત પરિગ્રહધારી હોય જે સર્વ વસ્તુ પદાર્થાદિકના અભિલાષી હોય, જે મિથ્યા વચનો બોલવાના પ્રપંચોમાં ચતુર હોય જે નિરંતર ભોજન કરનાર હોય, તે કુગુરૂઓને ભવરૂપી સમુદ્રમાં બુડાડવાવાળા માની સેવવા નહિ. જેમ સમુદ્રના પારને પામવાની ઇચ્છા કરનારા જીવો સમુદ્રમાં છિદ્રવાળા વહાણમાં નહિ બેસતા તેનો ત્યાગ કરે છે તેમ ઉત્તમ જીવોએ ભવસમુદ્રને તારવાવાળા સુગુરુનું સેવન કરી ઉપરોક્ત કુગુરૂઓનો ત્યાગ કરવો. પાંચ પ્રકારનાગુરૂઓ ૧ પાસત્થો, ૨ ઓસનો, ૩ કુશીલ, ૪ સંસક્ત, અને પ યથા જીંદી એ પાંચે કુગુરુઓ કહેલ છે. ૧.પાસન્ધો બે પ્રકારે છે : ૧ સર્વથી પાસત્થો અને ૨ દેશથી પાસત્યો. તેમાં પોતાનારાગી શ્રાવકને સંભાળી રાખે, અને સારા સાધુઓની સોબત કરતા અટકાવે, ભોળા લોકોને ભરમાવે, પોતાના અવગુણોને ઢાંકે પારકા અવગુણને દેખે, મોક્ષમાર્ગ પૂછનારા ભવ્ય ૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy