SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સાધુસેવાનું ફળ. अभिगमणवंदन नमसणेण, पडिपुच्छणेण साहूणं । चिरसंचियांपि कम्म, खणेण विरलत्तमुवेइ ॥१॥ ભાવાર્થ : સાધુઓના સન્મુખ જાવાથી તથા વંદન નમન તેમજ શરીર સંબંધી નિરાબાધતાના સમાચાર પૂછવાથી ઘણા કાળનું સંચિત કરેલું પાપકર્મ ક્ષણવારમાં સ્વલ્પપણાને પામે છે. અર્થાતુ ઉપરોક્ત પ્રમાણે કરવાથી સાધુસેવક ઘણા જ કર્મને છેદી નાખે છે. સાધુઓની સેવામાં ફળ છે, એટલું જ નહિ પણ ગ્લાન સાધુની સેવા કરવાનું ફળ પણ અતિ પ્રબલ કહ્યું છે.જુઓ किं भंते ! जे गिलाणं पडियरइसे धन्ने, उयाहु जे तुमं दंसणेण पडियरइ से धन्ने ! गोयमा ? जे गिलाणं पडिय से धन्ने सेकेण ठेणं भंते ? एवं वुच्चइ ! गोयमा ! जे गिलाण पडियरइ सेमं दंसणेण पडिवज्जइ जेमं दंसणेण पडिवज्जइ से गिलाण पडियरइ आकारणसारं खु अरहं ताणं दंसणं, एएण टेणं गोयमा ! एवं वुज्झइ, जे गिलाणं पडियइ सेमं पडिबज्जइ, जेमं पडिवज्जइ से गिलाणं पडियरइ इति । | ભાવાર્થ : હે ભગવન્! જે ગ્લાનની સેવા કરે તે ધન્યવાદને યોગ્ય છે? કે જે તમારા દર્શનને અંગીકાર કરે છે તે ધન્યવાદને યોગ્ય છે ? હે ગૌતમ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તેને ધન્યવાદ છે. હે ભગવન્! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તેને ધન્યવાદ શા કારણથી આપેલ છે? હે ગૌતમ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે, તે મારા દર્શનને પામેલા છે, તે ગ્લાનની વૈયાવચ્ચને કરનારા છે, કારણ કે ભગવાનની આજ્ઞાને માનવાનું જે સારભૂત છે તેજ નિશ્ચય અરિહંત ભગવાનનું દર્શન કહેલ છે. તે કારણ માટે એમ કહ્યું છે કે હે ગૌતમ! જે ગ્લાનની સારવાર વૈયાવચ્ચ કરે તે મારા દર્શનને પામેલા છે. અને જે મહારા દર્શનને પામેલા છે, તે ગ્લાનની વૈયાવચ્ચ સારવાર કરે છે. આ ઉપરથી એ સમજવાનું છે કે ગ્લાનીની વૈયાવચ્ચ કરનારા ૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy