SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ દર્શન ચારિત્ર મેળવવા ઉદ્યમ કરો, મળ્યા પછી પણ પ્રમાદી અભિમાની - ઉદ્ધતાઈ-તોછડાઈ-અક્કડતા જડતા નિંદકતા ઈર્ષ્યા વિકથા-કષાયતાકુટિલતા-કામલાલસા અસત્યતા-આહારાલૌલુપ્યતા-અપવિત્રતાપરઅપવાદતા-ઉસૂત્રતા વિગેરે હાલમાં ઘણા દુર્ગુણો પ્રાપ્ત થવા જોવામાં આવે છે, તે બધા સાધુપણાં લીધા છતાં પણ નિરંતર દુર્ગતિમાં દોરી જનાર છે, માટે અજ્ઞાનતાના ચશ્મા ઉતારી વિવેકરૂપી ચશ્મા પહેરો કે કોઈપણ દોષો સંયમમાં બાધક ન થાય. શ્રાવકોમાં પણ ઘણા દૂષણો દેખાય છે, તેને, વર્જવા, ગુણ ઉપાર્જવા, ઉદ્યમ કરવા પર પ્રવેશ ત્યાગ અને પોતાના જ દુર્ગુણોનું નિરીક્ષણ કરવાથી જીવ ધર્મિષ્ટ થઈ શકે છે અને આવો આત્મા જલ્દીથી પોતાના કર્મને છેદવા માટે ભાગ્યશાળી બની શકે છે, માટે તે મહાનુભાવો ! મલિનતા છોડી શુદ્ધ ધર્મનું આરાધન કરો. જો તમો ભવી હશો, અને કોઈપણ ભવમાં શુદ્ધ ધર્મ જ આરાધશો ત્યારે જ આરાધક થઈ મુક્તિ મેળવશો અને ઘણા ભવો રખડી દુઃખી થઇ પછી પ્રભુએ કહેલ ધર્મ આરાધવો તેના કરતાં અત્યારે જ સર્વ પ્રપંચજાળ વોસિરાવી ધર્મ કરો કે ભવદુખ નહિ ભોગવતાં કર્મનો અંત થવાથી શાશ્વતું સુખ મેળવો. ( ઉપદેશ એક્સો ચુંમાલીસમો) | જૈન ધર્મ મીઠો મોહક અહો ભવ્યજીવો ! આ જૈનધર્મ અપૂર્વ મોદક જેવો મીઠો લાગે છે. તે મેળવવા તમો કાંઈ પણ ઉદ્યમ કરતા નથી એ મહાઆશ્ચર્યની વાર્તા છે, જેમ મોદકમાં ઘણી ખાંડ નાખવાથી ભક્ષણ કરનારને અત્યંત મીઠો લાગે છે તેમ આ ધર્મરૂપી મોદક ઉદ્યમ કરવાથકી અતિ સ્વાદિષ્ટપણું આપે છે. મોદક તો દિવસે ખવાય છે પરંતુ રાત્રિમાં ખાઈ શકતો નથી, આ ધર્મરૂપી મોદક તો દિવસ અને રાત્રિમાં બન્ને વખત ખવાય છે અને ધર્મરૂપી મોદકને રાત્રિમાં ભક્ષણ કરતાં રાત્રિભોજનનો દોષ નહિ લાગતા ઘણા લાભને માટે થાય છે. આટલું વિશેષ છે કે -જઠરાગ્નિ પાચનશક્તિ ઉપરાંત A૩૫ર ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy