SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ મોદકનું ભક્ષણ કરતાં તે મોદક વમન, વિરેચન અને વિશુચિકા કરનાર થાય છે અને આ ધર્મરૂપી મોદકનું તો રાત્રિદિવસ સેવન કરવાથી લાભદાયક થાય છે. મોદકનું ભક્ષણ નિરંતર કરવામાં આવે તો શરીરાદિકની અંદર રોગાદિક થવાથી આત્માને પીડા કરે છે અને આ ધર્મરૂપી મોદકને જેમ જેમ વધારેમાં વધારે વાપરવામાં આવે તેમ તેમ મહાપુષ્ટ કરનાર થાય છે. નિરંતર મીઠો મોદક ખાવાથકી કોઈક દિવસે તેના ઉપર અભાવ થાય છે પરંતુ આ ધર્મરૂપી મોદકનું નિત્ય સેવન કરતાં દિનપ્રતિદિન તેની સ્પૃહા વધતી જાયછે, મોદકનો ઘણો આહાર કરવાથકી આળસ, નિદ્રા, પ્રમાદની વૃદ્ધિ થાય છે અને ધર્મરૂપી મોદકનુ વિશેષ સેવન કરવાથી પ્રમાદાદિકના પરિવાર સાથે પરિણામની વિશુદ્ધિ થાય છે. મોદક બહુ ખાવાથી શરીરનું તેજ હરે છે, ધર્મ રૂપી મોદકનું બહુ સેવન કરવાથી પાપને હરનાર પ્રચંડ તેજસ્વી પણું પ્રાપ્ત થાય છે. મોદકને વિષે જેમ લોટ, ઘી ને ખાંડ હોય છે તેમ ધર્મરૂપી મોદકને વિષે નવતના સારભૂત લોટ, પજીવના ભક્ષણરૂપ ઘી અને ન નિક્ષેપા સપ્તભંગીરૂપ ખાંડ હોય છે. લોટ, ઘી અને ખાડનો બનાવેલ મોદક આ સંસારમાં અજ્ઞાની જીવોને કાંઈક સ્વાદ આપી પરિણામે વિરસતા ઉત્પન્ન કરનાર થાય છે અને આ ધર્મરૂપી મોદક તો ભવોભવના પાપરૂપી સુધાગ્નિને શાન્ત કરાવી દિવ્ય માનુષ્ય અને દેવભવને દેખાડી જલ્દીથી જન્મ, જરા અને મરણના ભયથકી મુક્ત કરનાર મુક્તિને આપે છે, તો તે મહાનુભાવો ! ક્ષણિક સુખને આપનાર આ મોદકનો ત્યાગ કરી નિરંતર અખંડ શાશ્વતું સુખ આપનાર ધર્મ-મોદકનું સેવન કરો કે સ્વલ્પ સમયમાં તમે કલ્યાણ મંગળિકની માળા મેળવવા ભાગ્ય શાળી બનો. (ઉપદેશ એક્સો પિસ્તાલીશમો) જીવને હિતશિખામણ અહો ભવ્યજીવો ! ધર્મ કરો, પાપે પિંડ શા માટે ભરો છો ? આ શિખામણ હૃદયમાં ધરો તો નિશ્ચય શિવનારીને વરશો જેવી વાદળાની M૩૫૩ ૩૫૩ ભાગ-૮ ફર્મા -૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy