SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ થાય નહિ. સંસારમાં સાત સુખ વખણાય છે. ૧ શરીર નિરોગી રહે ૨ માથે કોઈની એક પાઈ પણ દેવાની ન હોય, ૩ ગામ છોડી પરગામ જવા વખત ન આવે, ૪ જ્યાં રહેવાથી કોઈપણ જાતની આધિ વ્યાધિ ઉપાધિ નીવડે નહિ, ૫ સ્ત્રી પતિવ્રતા ઘણીનું કહ્યું માનનારી હોય, ૬ ઘરમાં લક્ષ્મી ઘણી હોય, ૭ પુત્રપૌત્ર કુટુંબ પરિવાર પોતાને આધીન તેમજ રાજા પણ તેમના ઉપર પ્રસન્નતાવાળો હોય, એ ઉપરોક્ત સાતે સુખ ધર્મના યોગે જ પ્રાપ્ત થાય છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અવિનાશી ધન છે, સર્વત્ર રક્ષા કરનારા છે. ધર્મ તેજ મનુષ્યનો સાચો સંબંધ છે. માતા, પિતા, બેન, ભાઈ, સ્ત્રી, પુત્ર, કુટુંબીઓ સર્વે સ્વાર્થના જ સગા છે તે ઉપરોક્ત સર્વ પૈસો પાસે હોય તો જ ઉપર પડતા આવે છે. માતા પિતા કહે મારો પુત્ર, બેન કહે મારો ભાઈ, સ્ત્રી કહે મારો સ્વામી, અને પૈસો જાય કે કોઈ સામું જુવે નહિ, માટે ધર્મ તે જ મનુષ્યનો ખરો સંબંધ છે. અને ઇહ પરલોકે પાર પમાડનાર છે. ધર્મ તે જ ઉત્તમ પૈસો છે.બીજા ધનને રાજા, ચોર ભાગીદાર, લૂંટારા તૂટી જાય છે, પણ ધર્મરૂપી ધનને લૂંટવાની કોઈની તાકાત નથી, માટે ધર્મ જ સાચું ધન, સાચું ઘરેણું, અને સાચો વેષ છે, ધર્મ તે જ રક્ષક છે. ગમે તે જગ્યાએ ગમે તે વેળાએ ગમેતેવા સંજોગોમાં આત્મા હોય, તો પણ ધર્મ તેનો બચાવ કરી લે છે. અગ્નિના ભયમાં શસ્ત્રના ભયમાં પાણીના ભયમાં વિષના ભયમાં હિંસક જાનવરના ભયમાં વનવગડામાં, પાતાળમાં, શત્રુસંકટમાં પર્વત ઉપર અગર વિષમ ગિરિ, ગુફા, સમુદ્રમાં ધર્મ જ પ્રાણીઓનું રક્ષણ કરનાર છે. અરિહંત દેવ, સાધુ ગુરુ, ધ્યામય ધર્મ નમસ્કાર મહામંત્ર, આચાર ધર્મિષ્ટ માણસના હૃદયમાં જ કાયમ રમી રહે છે. ધર્મથી જ શુદ્ધ સાચી શ્રદ્ધા અને સમકિત દષ્ટિપણું પ્રાપ્ત થાય છે, માટે ધર્મનું જ આરાધન કરો. વીતરાગની પૂજા કરો, સગુરુ ની સેવા કરો, ષકાયની દયા પાળો પાખંડી મિથ્યાત્વ મત છોડી ઉત્તમ જૈન મત હૃદય માં ધારો ચતુર્વિધ સંઘની સેવા કરો, કષાય ટાળો, પરિગ્રહ છોડો, શત્રુ મિત્ર સમ ગણો, ત્રણ સ્થાવર જીવની દયા પાલો, સત્ય બોલો ને ગુણીનું બહુમાન કરો, નિર્ગુણીની ઉપેક્ષા કરી તેની ગતિ ટાળો, જ્ઞાન ૩૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy