SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૧ માર્ગાનુસારિણી ક્રિયા, મોક્ષમાર્ગને અનુસરતી પડિલેહણાદિક કરવી તે. ૨ ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, શ્રતધર્મમાં અને ચારિત્રધર્મમાં તીવ્ર અભિલાષા રાખવી તે, તેના ચાર ભેદ છે ૧ વિધિસેવા, ૨ અતૃપ્તિ, ૩. શુદ્ધદેશના, ૪, અલિતપરિશુદ્ધિ. ૩. પ્રજ્ઞાપનીયપણું, આગમમાં કહેલી યુક્તિયોવડે કરી બીજાને સમજાવવાપણું તે. ૪ ક્રિયા માં અપ્રમાદ, સાધુમાર્ગ ની ક્રિયા કરવામાં, મધ, વિષય, કષાય, વિકથા, નિદ્રા-એ પાંચ પ્રમાદ રહિત સંયમ પાળવું તે. ૫. શક્યઅનુષ્ઠાનનો આરંભ, શરીરની શક્તિને અનુસાર જે તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન ઘણો લાભ આપનાર, અને ઓછું નુકસાન કરનાર હોય તેવું આરંભે તે. ૬. ભારે ગુણાનુરાગ, ચરણસિત્તરિ તથા કરણસિત્તરિમાં, તથા આગમમાં વર્ણવેલા મૂળગુણઉત્તરગુણમાં પ્રીતિ, શુદ્ધચારિત્રીયોને હોય તે. ૭. ગુરુ આજ્ઞાનું પૂર્ણપણે આરાધન, ગુરુના ચરણની સેવામાં રક્ત રહી, ગુરુની આજ્ઞા આરાધવામાં તત્પર રહે અને ચારિત્રનો ભાર ઉપાડવામાં સમર્થ હોય. (ઉપદેશ એક્સો ઓગણચાલીશમો) ભવ્યાદિક સંબંધી ભવ્ય મુક્તિગમન યોગ્ય જીવ વિશેષ, ભવ્યત્વ એ પરિણામી ધર્મ છે તેથી તે જેમ સુવર્ણને વાળે તેમ વલે તેવો હોય છે અર્થાત્ સદ્ઉપદેશના સિંચનથી સન્માર્ગમાં જોડાઈ જાય છે. એથી વિપરીત લક્ષણવાળો અભવ્ય જીવ હોય છે, તે કદાપિ મુક્તિ પામતો જ નથી. તે કેવળ સંસારને જ પ્રેમથી માને છે અને પૌદ્ગલિક સુખમાં જ સાર માને છે, યાવત્ ભૂંડની પેઠે વિષયસુખમાં જ રચ્યોપચ્યો રહે છે. ભવ્ય જીવ સઉપદેશયોગે વિષય સુખથી વિરક્ત થઈ શકે છે, યાવતું સાંસારિક સંબંધથી વિરમી મોક્ષનો M૩૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy