SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ શ્રીમાનું તીર્થકર મહારાજાની માતામા ચૌદ સ્વપ્રોને દેખે છે, તે ધર્મથી જ દેખે છે, શ્રીમાન તીર્થકર મહારાજ માતાનીકુક્ષીમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાન સહિત હોય છે, તે ધર્મના જ પ્રતાપે, શ્રીમાનું તીર્થકર મહારાજા માતાના ગર્ભમાં આવે છે કે તુરત છે રત્નકુક્ષિધારિણી ! હે જગન્માત ! તુ... નમઃ એમ બોલી ઇંદ્ર મહારાજા સ્ત્રીને પણ નમસ્કાર કરે છે તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાન્ તીર્થંકર મહારાજાના ઘરને વિષે, ઇંદ્રમહારાજા સુવર્ણરત્નોની વૃષ્ટિ કરે છે, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાનું તીર્થંકર મહારાજાના અવતાર સમયે, ત્રણે લોકના જીવો આનંદ પામે છે, એટલું જ નહિ પણ, નારકીના જીવો પણ ક્ષણ માત્ર સુખ પામે છે,તે ધર્મના પ્રતાપો. શ્રીમાનું તીર્થકર મહારાજના અવતાર સમયે, હરિણગમૈષી દેવ, પાંચસોદેવતાના સાથે, સુઘોષા ઘંટ વગાડી દેવોને ભગવાનનો અવતાર જણાવે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન્ તીર્થકર મહારાજના જન્મસમયે, અચલ એવું ઇંદ્ર મહારાજનું સિંહાસન ચલાયમાન થાય છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન્ તીર્થકર મહારાજાના જન્મસમયે, છપ્પન દિકુમારિકા આવી સૂતિકર્મ કરે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજાના, આહાર નિહારને ચર્મચક્ષુ વાળા દેખતા નથી, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજા અનંત, રૂપ, બલ, વીર્યના ધણી હોય છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજના કલ્યાણક દિવસે, ઇંદ્રમહારાજાદિક મહોત્સવ કરે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજા, દીક્ષા લેતી વખતે, બાર માસ પહેલા (૩૨૦) ૩૨૦ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy