SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ક્રોધ કરવાને વિષે, ગોપવવાને વિષે, ફેંકવાને વિષે, ઈત્યાદિક કાર્યોને વિષે, જે માણસ સર્વ જગ્યાએ પોતાના આત્માને જાણે છે તે જ માણસ દુનિયામાં સાચો જાણકાર છે એમ જાણવું, કારણ કે દરેક સમયે અવસરનો જાણકાર માણસ જ પોતાના કાર્યનીસિદ્ધિ કરી શકે છે, (૪) જે માણસ દેખેલ તથા સાંભળેલ અર્થને વિષે શુદ્ધ અતિશય ન દેખવાથી સંતોષ નહિ પામેલો અને સંસારના ભયથકી ઉગ પામી, સર્વ સંગ ત્યાગી ઈહલોક પરલોકને વિષે હિતાવહ જાણી, વિષયસુખને વિષે મનને સ્થાપન કરતો નથી, અને કલ્યાણની પરંપરાની પ્રાપ્તિને પ્રધાન માની સર્વથા પ્રકારે ફરીથી ભવની પ્રાપ્તિ ન થાય તેવું ઇચ્છ, ઉત્તમ અનુષ્ઠાન કરવામાં કલેશ રહિત ભાવવાળો પરમાર્થી હોય, તેની પ્રાપ્તિ માટે સર્વથા અતિચારને નહિ લગાડતો, વિશુદ્ધિથી જ્ઞાન, દર્શન, ચારિત્રની એકાંત રીતે પ્રાર્થના કરનાર ઉત્તમ પુરુષ કહેવાય છે. ૬. ઉત્તમોત્તમ માણસ એકાંતર રીતે, અત્યંત નિરાબાધ ફળની પ્રાપ્તિને પામીને, અતિકૃતાર્થ થયા છતાં પણ, પ્રાર્થના કરવા લાયક ફલના અભાવથી, બીજા નિમિત્તભૂત ઉપકારની અપેક્ષા રહિત જીવોને વિષે યાચના કર્યા સિવાય પણ નિરંતર વાત્સલ્યતા ધારણ કરી, અતિ હિતતત્પર સ્વભાવથી જ પરોપદેશે પ્રવર્તે છે તે તીર્થકર નામકર્મના ઉદયના પ્રભાવથી, ઉપદેશ દેવામાં વિશેષ પ્રવર્તે છે, સૂર્ય જેમ પ્રકાશ કરી સર્વ જગતને ઉપકાર કરે છે તેમ ઉપકારબુદ્ધિથી લોકોને ઉપદેશ આપી, લોકોને ઉપકાર કરનાર હોય તે પુરુષ ઉત્તમોત્તમ કહેવાય છે. એવા મહાપુરુષો દેવના પણ દેવ, અને પૂજ્યના પણ પૂજય કહેવાય છે. તેવા ઉત્તમ પુરુષોની ઇચ્છિત મોક્ષસુખને માટે સેવા કરવી તે યોગ્ય જ છે, (ઉપદેશ એક્સોબત્રીશમો) ધર્મફળ શ્રીમાનું તીર્થકર મહારાજનો અવતાર લોકોના કલ્યાણને માટે જ થાય છે, તે ધર્મથી જ થાય છે. ૩૧૯) ૨ ૩૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy