SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ માણસ વિમધ્યમ કહેવાય છે. ૪. મધ્યમ-જે ઈહલોક સુખનો નિરપેક્ષી, પૂજા, ઉપવાસ, બ્રહ્મચર્ય, ગુરુકુલવાસ, ભોજનાદિક, આસવમાન, પરતીર્થક હોય, તે, અગર લોકોત્તર માર્ગને પામેલ હોય તે, દેવેંદ્ર, ચક્રવર્તી, મહામંડલાદિ, ઐશ્વર્યસમાકૃષ્ટ મનવાળો, અગર સૌભાગ્યાદિકની પ્રાર્થના કરવાવાળો હોય, તપના પ્રભાવને વેચવાથી નિયાણું બાંધવા તત્પર થયેલો હોય, પરલોકના સુખને જ પ્રધાન માનવાવાળો હોય તે પુરુષ મધ્યમ કહેવાય છે. પ. ઉત્તમ માણસ સર્વકાળે યોગ્યતાદિકનો જાણકાર હોય છે, જુઓ आदान वदने दाने, निदाने सदनेऽदने । आसने शयने याने-ऽप्युत्थाने स्थानेऽर्थने ॥१॥ ध्याने निधाने संधाने, योधने बोधने धने । हाने मात्रेऽभिमाने च, समाह्वाने विवाहम्ने ॥२॥ उत्पाटर्न विघटने, घटने खेटनेऽटने । पाटने कुटने ज्ञाने, विज्ञाने सेवने वने ॥३॥ पठन पाठने गाने, कोपने गोपनेऽसने । एवमादिषु सर्वत्र, यः स्वं वेद विवेद सः ॥४॥ ભાવાર્થ : આ દાનને વિષે, બોલવાને વિષે દાન દેવાને વિષે કારણને વિષે, ઘરને વિષે, ખાવાને વિષે, આસનને વિષે, શયનને વિષે ગમનને વિષે, ઉત્થાપન કરવાને વિષે, સ્થાપન કરવાને વિષે, યાચના કરવાને વિષે, (૧) ધ્યાનને વિષે, વિધાનને વિષે, સાંધવાને વિષે, યુદ્ધ કરવાને વિષે, બોધ કરવાને વિષે ધનને વિષે હાનિને વિષે, માનને વિષે, અભિમાનને વિષે, બોલાવવાને વિષે, વિવાહને વિષે, (૨) ઉત્પાદનને વિષે, વિઘટનને વિષે, ઘડવાને વિષે, ખેડવાને વિષે, પર્યટન, કરવાને વિષે, પાડી નાખવાને વિષે, કુટવાને વિષે, જ્ઞાનને વિષે, વિજ્ઞાનને વિષે, સેવા કરવાને વિષે, વનને વિષે, (૩) ભણવાને વિષે ભણાવવાને વિષે ૩૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy