SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ यदि वहति त्रिदण्डं नग्नमुंडं जटं वा, यदि वहति गुहायां वृक्ष मूले शिलायाम् । यदि पठति पुराणं वेद सिद्धान्ततत्त्वम्, यदि हृदयमशुद्धं सर्वमेतन्न किंचित्, ॥१॥ ભાવાર્થ : જો કોઈ ત્રિદંડીપણું, નગ્નપણું, મુંડપણું, જટાધારીપણું ધારણ કરે,જો ગુફામાં “વૃક્ષ નીચે’ શિલાને વિષે વાસ કરે, જો પુરાણ વેદ સિદ્ધાંત તત્ત્વને જાણે, ભણે પરંતુ જો તેનું હૃદય શુદ્ધ ન હોય તો ઉપરોક્ત તમામ નિરર્થક છે, માટે આત્મકલ્યાણની સાચી અભિલાષાવાળા જીવોને પ્રથમ હૃદયશુદ્ધિ કરવાની જરૂર છે. પ્રશ્ન- પૂજનારને વિષે કૃતાર્થપણું, નહિ પૂજનારને વિષે ક્રોધ રહિતપણું, આવાસમાન ગુણો જેના રહેલા છે તેને ફાયદો શું? ઉત્તરઃ આવી શંકા કરવાનું કાંઈ પ્રયોજન નથી. અગ્નિનો અકોપ એટલે પ્રસાદ પણ, સેવકોને ઇચ્છિત અને નિવૃત્તિના હેતુભૂત થાય છે, વળી બળવાની ઇચ્છા નથી છતાં પણ અગ્નિથી બળે છે, દુષ્ટ બુદ્ધિવાળા જીવો રાગદ્વેષની બુદ્ધિરહિત, અગ્નિના ન્યાયવડે સેવન કરતા, પોતાના આશય દોષથી જ ચંદ્રમા પ્રત્યે પત્થર ફેંકનારાની પેઠે જેમ પોતે જ પોતાનો ઉપઘાત કરનાર થાય છે તેમ પૂજા કરવાવાળો માણસ પણ સારા ફળને ઉપાર્જન કરે છે. ૧. અધમાધમ, જે પુરુષાર્થને વિષે, ઉભય લોક અહિતકારી, વિપરીત અનુષ્ઠાન કરનાર હોય, તે માણસ અધમાધમ કહેવાય છે. ૨. અધમ-જે ઈહલોકના સુખની પ્રાર્થના કરવામાં તત્પર અને પરલોકથી વિમુખ દુઃખ અને ભયથી અતિ નિંદ્ય કર્મ કરનારો, ચોરી કરનાર, પરસ્ત્રીસેવી, વિષયાસક્ત હોય છે એ અધમ કહેવાય છે. ૩. વિમધ્યમ જે ઈહલોક પરલોકને વિષે પ્રયત્ન કરે, દાનાદિકને આપે, અધ્યયનાદિ કરે, સત્કાર, લાભ, યશ, મિત્ર સંબંધી વિગેરેનું ઈહલોક ફલ પામીને, પરલોકને વિષે મનુષ્ય દેવતાની અભિલાષા કરનાર ૩૧૭) ૩૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy