SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પ્રસન્નતાવાળો થાય છે તેમ પૂજા કરનારાની મનની પ્રસન્નતા પણ જાણી લેવી. પ્રશ્ન-મન પ્રસન્નતાથી શું થાય, ઉત્તર સમાધિ, એકાગ્રતા, નિવૃત્તિ, થાયછે. પ્રશ્ન-સમાધિથી શું થાય છે, ઉત્તર તેમની ઉત્તમ સેવા પ્રશ્ન-ઉત્તમ સેવાથી શું થાય છે, ઉત્તર તેમની દેશનાનું શ્રવણ. પ્રશ્ન-શ્રવણથી શું થાય છે, ઉત્તર : ગ્રહણા, ધારણા, ઈહાપોહ વિગેરે પ્રશ્ન-ગ્રહણા, ધારણા ઈહાપોહથી શું થાય છે. ઉત્તર :ઉંચા પ્રકારના તત્ત્વનું જ્ઞાન થાય છે. પ્રશ્ન-તત્ત્વજ્ઞાનથી શું થાય છે. ઉત્તર : હિત-અહિત પ્રાપ્તિનું પરિહારપણું. પ્રશ્ન-હિતઅહિત પ્રાપ્તિના પરિહારપણાથી શું થાય છે, ઉત્તર-કલ્યાણની પ્રાપ્તિ પ્રશ્ન-કલ્યાણની પ્રાપ્તિથી શું થાય છે? ઉત્તર-સમાધિ આદિ મહાનુગુણોની પ્રાપ્તિ થાય છે, માટે પરમાત્માની પૂજા કરવી યુક્ત છે, કૃતાર્થપણું હોવા છતાં પણ, પરમાત્માનું પૂજન ન્યાયયુક્ત છે. હાલમાં કેટલાક જીવો, આળસ પ્રમાદથી કલેશ પામનારા હોય છે, તેઓ શાંત આકૃતિવાળા પરમાત્માના બિંબને દેખી, કાંઈ મોહનીય કર્મના સ્વલ્પપણાથી પરમાત્માના વચનશ્રવણ કરવામાં શ્રદ્ધાવાળા થાય છે, શ્રધ્ધાથી દર્શનનો લાભ થાય છે. કેટલાકને તો પરમાત્માના દર્શન થયા છતાં પણ, અને બોધ નહિ પામતા પણ, વંદન, નમન, સ્તવન, કરવાથી લાભ થાય છે, ગમેતે વ્યક્તિ હોય પણ હૃદયશુદ્ધિથી જ આત્મકલ્યાણ થાય છે. જુઓ M૩૧૬ ૩૧૬ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy