SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઉત્તર : મનની પ્રસન્નતા થાય છે. કહ્યું છે કે - श्री मज्जैन गृहे जिनप्रतिकृतौ जैनप्रतिष्ठाविधौ, श्री सार्व स्नपने जिनार्चन विधौ श्री संघ पूजादिके । श्री मच्छासन लेखने च सततं श्री तीर्थयात्रा मुखे, येषां स्वं विनियोगमेति धनिनां धन्यास्त एव क्षितौ ॥१॥ ભાવાર્થ : જેઓનું ધન શ્રીમાન જિનેશ્વર મહારાજના મંદિરનાં જિનેશ્વર મહારાજની મૂર્તિયો ભરાવવામાં જિનેશ્વર મહારાજના બિંબોની પ્રતિષ્ઠા કરવામાં જિનેશ્વર મહારાજનો સ્નાત્ર કરવામાં જિનેશ્વર મહારાજની પૂજા કરવામાં શ્રી સંઘની ભક્તિ કરવામાં. શ્રી જૈન સિદ્ધાંતો લખાવવામાં તથા તીર્થયાત્રાઓ કરવામાં ખર્ચાય છે, વપરાય છે તે શ્રીમંતો જ આ દુનિયામાં ધન્યવાદ-પ્રશંસાને પાત્ર ગણાય છે. मौलिंस्वं च जिनेश्वरस्य नमनात् कौँ गुणाकर्णनात्, नेत्रेरुपे निरुपणेन रसनां स्तोत्र क्रमोपक्रमैः । पाणि पूजन कर्म कर्मठतयाचे त्यागमेनक्रमौ, चित्तं संस्मरणात्मकरोति विमलंकश्चिद्विपश्चिन्नरः ॥१॥ ભાવાર્થ : જિનેશ્વર મહારાજને નમસ્કાર કરી મસ્તકને, જિનેશ્વર મહારાજના ગુણો સાંભળી કર્ણોને તેમના રૂપને જોઈ નેત્રોને, તેમના ગુણગાન ગાવારૂપ સ્તોત્રના ઉપક્રમ વડે કરી જીભને, તેમની ઉત્તમોત્તમ પ્રકારે પૂજા કરવાથી હાથને, તેમના મંદિર પ્રત્યે જઈ ચરણોને, અને તેમનું સ્મરણ કરી ચિત્તને, કોઈ પંડિત પુરૂષ જ નિર્મળ કરવા માટે શક્તિમાન થાયછે. માટે જ મનની પ્રસન્નતાથી પરમાત્માનું પૂજન કરવું. પ્રશ્ન-મનની પ્રસન્નતા વગર કોઈ પૂજા કરે છે ? ઉત્તર-પૂજા કર્યા બાદ મનની પ્રસન્નતા જ રહે છે, કદાચ થોડા ટાઇમને માટે માની લ્યો કે -મનની પ્રસન્નતા વિના પણ પૂજા કરે છે, પ્રથમ અપ્રસન્ન મનવાળો હોવા છતાં પાછળથી મિત્રના સમાગમથી જેમ M૩૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy