SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૫. ઉત્તર માણસ સમગ્ર કર્મના વિયોગને માટે મોક્ષની જ ક્રિયા કરે છે. સંસાર ભોગને વિષે એકાંત નિઃસ્પૃહી થઈ સંસાર જન્ય વાસનાનો ત્યાગ કરનાર હોય છે. સંસારમાં જન્મમરણાદિકના મહાનું દુ:ખની પ્રાપ્તિ મનુષ્યોને સુલભ છે પરંતુ સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે માત્ર સમ્યગદર્શનને પામીને જ હું ધીમે ધીમે મોક્ષમાં જઈશ. એવી બુદ્ધિ ધારણ કરી, નાવના અર્થીઓને જેમ ભરસમુદ્રમાં નાવ મળવાથી હર્ષ પામે છે તેમ સમ્યગદર્શનથી તુષ્ટમાન થઈ ગુફાને વિષે રહેલા દુષ્ટ વ્યાપારાદિકના ભયના પેઠે સંસારમાં અવશ્ય ભય જ છે, તે ભયથી ત્રાસ પામી સર્વથા પ્રકારે અગર પોતાની શક્તિને અનુસાર પ્રાણાતિપાતાદિકથી વિરામ પામી, સંસારભોગની અભિલાષા છોડી, સંસારજન્ય સંબંધની અસારતાનું ચિંતવન નીચે પ્રકારે કરે છે. इंद्रजालोपमेष्वत्र, पितृमातृसुतादिषु, मुधामुधैव कुर्वन्ति, स्नेहंगैहं महापदम् ॥१॥ ભાવાર્થ : આ સંસારમાં ઇંદ્રજાળની ઉપમાવાળા માતાપિતા પુત્રાદિકને વિષે મુગ્ધ લોકો મહાઆપત્તિના ઘરસમાનસ્નેહને ફોગટ જ કરે છે, ઇંદ્રજાળ સર્વથા કૃત્રિમ હોય છે, તેમજ ઉપર્યુકત પણ જાણવા. दिनमेकं शशीपूर्णः, क्षीणस्तुबहुवासरान् । सुखदुखं सुराणा मप्यधिकं काकथानृणाम् ॥१॥ ભાવાર્થ : આખા માસમાં ફક્ત એક જ દિવસ ચંદ્રમા પૂર્ણ હોય છે અને ઘણા દિવસો સુધી ક્ષીણ રહે છે જ્યારે દેવતાઓને પણ સુખ દુઃખ રહેલ છે તો મનુષ્યોની વાત જ શું કરવી ? ज्ञानवान् ज्ञानदानेन, निर्भयोऽभयदानतः ।। अन्नदानात्सुखीनित्यं, निव्याधिरौषधाद्भ वेत् ॥१॥ ભાવાર્થ: આ આત્મા જ્ઞાન દાન કરવાથી જ્ઞાની, જીવોને અભયદાન આપવાથી નિર્ભય, અન્નદાન આપવાથી સુખી અને ઔષધનું દાન આપવાથી નિરંતર રોગ રહિત થાય છે. સુખની અભિલાષા કરવાવાળા M૩૧૨) ૩૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy