SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જીવને એ ચારેને વિષે અપ્રમાદી થવું જોઈએ. એમ ચિતવી આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરે છે. અને મૈત્રી આદિ ચતુર્વિધ ભાવના, યોગમાર્ગમાં આઠે અંગનો અભ્યાસ કરવામાં, પ્રેમ, ધીરજ, પરિષહ, અને બાધાઓની સહનશીલતા, સરલતા, કષાય, તથા આરંભનોત્યાગ,સાવધાનતા, પ્રસન્નપણું, મધુરતા, અને સમાનપણું, એ મોક્ષના રસ્તા ક્યારે હાથ લાગશે આવી ભાવના ભાવતો સિંચન કરી વૃદ્ધિ પામેલ શાલિક્ષેત્રાદિકના પેઠે વચ્ચે દેવાદિકના સુખનો પણ ત્યાગ કરી મોક્ષને માટે જ ઉદ્યમ કરે છે, તે અનવદ્ય કુશલાનું બંધ કરવાથી ઉત્તમ કહેવાય છે. सुखायतेतीर्थंकरस्यवाणी, भव्यस्य जीवस्य नचेतरस्य । सुखायते सर्ववनस्यमेघो, जवासकस्येवसुखायते न ॥१॥ ભાવાર્થ : સર્વ વનને મેઘ સુખદાયક થાય છે, પરંતુ જવાસાને તે મેઘ સુખ કરતો નથી કારણ કે મેઘના અવસરે જવાસો સુકાઈ જાય છે, તેથી તેને મેઘના આવ્યાથી સુખ થતું નથી, તેમજ તીર્થકરમહારાજની વાણી ભવ્ય જીવોને સુખ કરનારી થાય છે પરંતુ અભવી દુર્ભવી આદિ બીજા જીવોને સુખ કરનારી થતી નથી. नचास्ति धर्मादधिकं च रत्नं, नचास्ति धर्मादधिकं च यंत्रं, नचास्ति धर्मादधिकंचमंत्रं, नचास्ति धर्मादधिकंच तंत्रं ॥ ભાવાર્થ : ધર્મથકી બીજું કોઈ અધિકરત્ન નથી, ધર્મથી અધિક બીજું કોઈ યંત્ર નથી, ધર્મથી અધિક બીજો કોઈ મંત્ર નથી તેમજ ધર્મથકી અધિક બીજો કોઈ તંત્ર નથી. मणिनावलयं वलयेनमणिर्मणिनावलयेन विभातिकर : कविनाचविक्षर्विभुनाचकविः कविना विभूनाच विभातिसभः, शशिना च निशानिशया च शशीशशिना निशया च विभातिनभः पयसाकमलं कमलेनपयः पयसाकलमलेन विभातिसरः ॥१॥ ભાવાર્થ : મણિ વડે કરી કંકણ શોભે છે અને કંકણવડે કરી મણિ ૩૧૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy