SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ અભિમાનવડે કરી ઊંચુ રહેલું છે આવા નિંદનીક માણસના નીચ શરીરને ભક્ષણ કરવું સહસાકારે શીયાલ ! તું છોડી દે. ૨. અધમ, માણસ મધ્યમ પાપ કરવાવાળો હોય છે, અને પરલોકની બુદ્ધિને ત્યાગ કરનાર હોય છે તે મનમાં માને છે, અને બીજાના પાસે કહે છે, (પરલોક છે,) તે કોને ખબર છે, કોણ જોઇને આવેલ છે, કાંઈ છે જ નહિ દુનિયા ભલે માને પણ પરલોકનો તેને કેવળ ભ્રમ જ છે, વળી તે જીવ મોહ મોહિત થઈને વિચારે છે કે મહાદુઃખે કરી પ્રાપ્ત થયેલા વિષયજન્ય સુખોને મારાથી છોડી શકાય નહિ, એમ ધારી પરલોક નિરપેક્ષ થઈ ઈહલોકના વિષયસુખમાં જ મગ્ન રહે છે, તે માણસ અધમ કહેવાય છે. ૩. વિમધ્યમ, માણસ વણિક અને ખેડૂતાદિક કહેવાય છે. તેઓ મહાભોગી હોવાથી, સ્ત્રી, પુત્રાદિકના વિયોગને નહિ ઇચ્છતા, પૂર્વે પ્રાપ્ત કરેલા વિષયને ત્યાગ નહિ કરતા અને નવીન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા થઈ ઈહલોક પરલોક બન્નેના અર્થી લોકોને પ્રીતિ કરવામાં પ્રયત્ન કરી દાન આપી પર લોક ફળને ઇચ્છી, પ્રસિદ્ધ પુન્ય દ્વારને વિષે યથાશક્તિ વાપરી સંસારસુખ વ્યાપાર અને પરલોક માટે ધર્મ કરનાર ત્રિવિધ કર્મ સંસારની પુષ્ટિથી સામાન્યપણે અકુશલાનુબંધી ક્રમવાળા હોવાથી તે વિમધ્યમ કહેવાય છે. ૪. મધ્યમ માણસની દૃષ્ટિ ઈહલોકને વિષે હોતી નથી પરંતુ પોતાના હિતાર્થે પરલોકને વિષેહોયછે તે ઈહલોક વિષે પ્રતિબદ્ધ થઈ પરલોકના હિતમાં પોતાનું મન જોડે છે. મધ્યમ કિયાને વિષે સદા રક્ત રહે છે અને ગામ લક્ષ્મી ભોગાદિકનો ત્યાગ કરી, વગડામાં રહી તાપસવૃત્તિ અંગીકાર કરે છે, નવવાસ સેવે છે, તેમાં જ પ્રીતિ કરે છે,જિંદગી ત્યાં જ ગુજારે છે, સડેલા, પડેલા, સુકા, ફળ ફૂલો પત્રો કંદમૂળાદિકનું ભક્ષણ કરતા નાવું ધોવું હવનાદિક ક્રિયાને વિષે પ્રવર્તતા પૂર્વોત્તર ઉત્કૃષ્ટ હીપણાથી મિશ્રઅનુબંધ એટલે તેઓ કુશળ અકુશળ બંધવાળા હોય છે તે મધ્યમ કહેવાય છે. ૩૧૧ - ૩૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy