SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ (ઉપદેશ એક્સો એક્ટીસમો ) ષ પુરુષપ્રય ૧. અધમતમ, ૨. અધમ, ૩. વિમધ્યમ, ૪. મધ્યમ, પ. ઉત્તમ, ૬. ઉત્તમોત્તમ, ૧. અધમતમ માણસ ઈહલોક પરલોકનું અકુશલ કર્મ આદરમના હોય છે, પરલોક તો દૂર રહો પણ પ્રથમ વિષપાન કરી જીવવાની ઇચ્છા કરનારની પેઠે, સંરંભાદિક કર્મને કરે છે, અહિત કર્મ અનુબંધનને કરે છે, સમગ્ર સારા લોકોએ ધિકકારેલા પ્રબળ વ્યવહારવડે, આરંભ સમર્થતાથી, પરનો ઘાત કરવા માટે માછીમારના પેઠે, એકી ભાવે પાપ કરવામાં તત્પર થાય છે. જેમ દીન હીન શરીરવાળો, ખરાબ સ્વરવાળો, માછીમારજીવોનો ઘાત કરવા માટે જંગલમાં, પર્વતમાં, પાણીમાં, અટવીમાં, સુધા, તૃષા, શીત, ઉષ્ણ, વર્ષા, દંશાદિક દુઃખોને અહીંપણ સહન કરે છે, અને નરકાદિક દુષ્ટગતિમાં પણ દુઃખ સહન કરે છે, આયુષ પૂર્ણ થયા પછી, તે પાપિષ્ટ માણસ જેમ ઉભય લોકને વિષે દુ:ખ પામે છે તેમ અધમતમ માણસ, આરંભાદિક મહાપાપકર્મને કરી ઈહલોક, પરલોકને વિષે દુઃખી થાય છે, તે અધમતમ પુરુષ કહેવાય છે જુઓ. हस्तौ दान विवर्जितौश्रुति पुटौ सारश्रुते द्रोहिणौ, नेत्रेसाधु विलोकनेन रहितेपादौ न तीर्थंगतौ । अन्याया जित वित्तपूर्ण मुदरं गर्वेण तुंगं शिरो, रेरे जंबुक ! मुंच मुंच सहसा नीचस्य निंद्यवपुः ॥१॥ ભાવાર્થ : એક મહાત્મા પુરુષ એક મડદાના ભક્ષણ કરનાર શીયાળને કહે છે કે જે માણસના બન્ને હાથે દાન દેવાથી રહિત છે, કાન પરમાત્માના સારભૂત વચનોશ્રવણ કરવામાં દ્રોહ કરનારા છે, સાધુના દર્શનથી નેત્રોરહિત છે, પગે ચાલીને તીર્થ યાત્રા કરી નથી, હૃદય અન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યના ભક્ષણ કરવાથી સંપૂર્ણ ભરેલું છે, મસ્તક ૩૧0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy