SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઉપયોગ-પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનના, ચાર દર્શનના એ બાર ઉપયોગમાંથી ગમે તે બે અગર તેથી અધિક હોય તેને જીવ કહીએ. (ઉપદેશ એક્સોને ઓગણત્રીશમો) જીવોની ગતિ ૧. જીવોને મારનાર, પરધન તથા પરસ્ત્રીનો નાશ કરનાર, ચંડ, મહાઆરંભ, મહાપરિગ્રહને વિષે આસક્તિ યુક્ત, મુનિમહારાજાની નિંદા કરનાર, ખરાબ આહારનો ભક્ષક, રૌદ્ર પરિણામી, મિથ્યા દષ્ટિજીવ, તંદુલીયા મચ્છની પેઠે, દુઃખદાયક નરકને વિષે જાય છે. ૨. અસંશી પ્રથમ નરકે જાય છે, સરિસૃપ, ભુજ પરિસર્પાદિક બીજી નરકે જાય છે, ખેચર, પક્ષીઓ ત્રીજી નરકે જાય છે, સિંહાદિક ચોથી નરકે જાય છે, સર્પાદિક, પાંચમીનરકે જાય છે, સ્ત્રીઓ, છઠ્ઠી નરકે જાય છે, મનુષ્ય અને મત્સાદિક સાતમી નરકે જાય છે, એ રીતે નરકને વિષે ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ કહી છે. ૩. આર્તધ્યાનને વશ થયેલા, પરને દુઃખ ઉત્પન્ન કરનારા, બહુ જ કપટક્રિયા કરનારા, મોહ, તથા અજ્ઞાનમાં તત્પર રહેલા જીવો મરીને તિર્યંચો થાય છે. ૪. જે અલ્પકષાયી હોય, દાન દેવામાં ઉદ્યમવંત હોય, ક્ષમા, વિનય, માર્દવાદિક ગુણોવડે પ્રધાન હોય, દાક્ષિણ્યતાને વિષે તત્પર હોય, તેમજ પ્રકૃતિથી ભદ્રિકભાવી જીવો મનુષ્યપણું પામે છે. ૫. જેઓ મહા વ્રતધારી હોય, દેશવિરતિ હોય, અવિરતિ સમ્યગદષ્ટિ હોય, પરમાત્માની પૂજા કરવામાં તત્પર હોય, દાન દેવામાં રક્ત હોય, બાલ તપસ્વી હોય, અકામર્નિર્જરા કરનારા, પરિણામની વિશુદ્ધિવાળા, મનુષ્યો અને તિર્યમંચો દેવગતિના આયુષ્યને બાંધે છે. ૬. સાધુ, સૌધર્મથી સર્વાર્થસિદ્ધિ યાવત્ જાય છે, શ્રાવક સૌધર્મથી અશ્રુત બારમા દેવલોક સુધી જાય છે, વ્યાપન દર્શન મિથ્યાદષ્ટિ મુનિ લિંગધારી અભવિ જીવો રૈવેયક સુધી જાય છે, તિર્યંચ પંચેંદ્રિય ગુણધારી ૨૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy