SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે પરિવ્રાજકાદિ પાંચમા બ્રહ્મ દેવલોક સુધી જાય છે, અને તાપસો જ્યોતિષીમાં જાય છે. - ૭. બાલતપસ્યાને વિષે પ્રતિબદ્ધ થયેલો, ઉત્કૃષ્ટ ક્રોધને ધારણ કરનારો, તપકર્મ વડે ગર્વમાં મગ્ન થયેલો, વૈરભાવને ધારણ કરનારો, મરીને અસુરકુમારમાં જાય છે, ૮. ગળાફાંસો ખાનારા, વિષનું ભક્ષણ કરનારા, અગ્નિમાં બળી મરનારા, પાણીમાં ડૂબી મરનારા અને સુધાતૃષાની વેદનાને સહન કરનારા જીવો મરીને વ્યંતરો થાય છે. ૯. અશઠા, સરલા, શ્રેષ્ઠવિનયવાળી, સારા સ્વભાવવાળી અલ્પલોભી, ક્ષમાયુક્ત, સત્ય વક્તા, સરલતાવાળી, ચપળતારહિત, આવા ગુણવાળી સ્ત્રીઓ પુરુષવેદને બાંધે છે, સ્ત્રીઓ મરી પુરુષો થાય છે. ૧૦. જૂઠાકલંક ચડાવનાર, અસત્યનું ભાષણ કરનાર, ચંચળ સ્વભાવવાળો, સાહસ કાર્ય કરનારા, પરને ઠગનારા પુરુષ મરીને સ્ત્રીનો અવતાર પામે છે. ૧૧. જે ક્રૂર માણસ ઘોડા પાડા, બળદ ઇત્યાદિક જીવોના નિલંછનાદિક કર્મ કરે છે અને જે માણસ ઉત્કૃષ્ટ મોહી હોય છે તે નપુંસક થાય છે. ૧૨. પૃથ્વીકાયાદિક જીવોની હિંસા કરવામાં રક્ત પર લોકને નહિ માનનારા, અતિ સંકલિષ્ટ કર્મ કરનાર મૂઢપુરુષ, અલ્પ આયુષ્યવાળો થાય ૧૪. જે માણસ તુષ્ટમાન થઈ, સાધુઓને અસણં, પાણં, ખાઇમં, સાઇમ, આસન, વસ્તુ, વસ્ત્ર, પાત્ર કંબલ ઔષધ, વિગેરે આપે છે તે ભોગી થાય છે. ૧૫. જે પોતાનું હોય, ને આપે નહિં ખરાબ આપે, આપેલું કહી બતાવે, આપેલું હારી જાય,તથા આપનારાને નિષેધ કરે આપનારની નિંદા વિકથા કરે, આપનારને કુબુદ્ધિ આપી ઈર્ષ્યા કરે તે માણસ ભોગ રહિત 300 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy