SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ એટલે નાશ થાય, તે સપર્યવસિત શ્રત કહીએ. ૯ અનાદિ ચુત, તે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, અનાદિ સંબંધે, અવિચ્છેદપણે સદાસર્વદા જૈન તીર્થ પ્રવર્તે છે તે અનાદિશ્રુત કહીએ. ૧૦ અપર્યવસિત શ્રત, તે કોઈ કાળે જૈન તીર્થનો, તથા દ્વાદશાંગી સૂત્ર સિદ્ધાંતનો અંત થયો નથી, થવાનો નથી, આંતરો પડવાનો નથી, તે અપર્યવસિતશ્રુત કહીએ. ૧૧ ગમિકશ્રુત સરખા આલાવા, પાઠોરચ્યા છે, દૃષ્ટિવાદાદિક સૂત્રો સિદ્ધાંતો જેને વિષે તે ગમિકશ્રુતકહીએ. ૧૨. અગમિકહ્યુત, તે કાલિક સૂત્રના પેઠે, સરખા આળાવા પાઠો ન હોય તે સૂત્રને અગમિક શ્રુત કહીએ. ૧૩. અંગપ્રવિષ્ટ કૃત, તે આચારાંગાદિકથી, દૃષ્ટિવાદ પર્યત સૂત્રોને, અંગપ્રવિષ્ટશ્રુત કહીએ. ૧૪. અનંગપ્રવિષ્ઠ એટલે અંગબાહ્ય શ્રુત, તે બાર ઉપાંગાદિક છેદસૂત્રો, પર્યન્ના, મૂળ, નંદી, અનુયોગ આદિ સૂત્ર સિદ્ધાંતોને, તથા ગ્રંથ પ્રકરણાદિક સર્વેને અંગબાહ્ય શ્રુત કહીએ. અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે, અને સંક્ષેપે છ ભેદ કહેલ છે, તે નીચે પ્રમાણે – ૧ અનુગામી - જેને જે સ્થાને અવધિજ્ઞાન ઉપજયુ છે તે સ્થાનેથી બીજા દેશદેશાંતર જ્યાં જાય ત્યાં પોતાના ચર્મચક્ષુના પેઠે જાણે દેખે તે અનુગામી અવધિજ્ઞાન કહીએ. - ૨ અનનુગામી-જે ક્ષેત્રને વિષે અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ હોય તે સ્થાને જ પોતાના ક્ષય ઉપશમપૂર્વક, ક્ષેત્રની મર્યાદાપૂર્વક જાણે અને દેખે, એ ક્ષેત્રને છોડી આગળ જાય તો ન દેખે, પાછા ઉત્પત્તિસ્થાને આવે ત્યારે જાણે દેખે, એજ્ઞાન ક્ષેત્રઓશ્રી પ્રત્યેક ક્ષયોપશમના લીધે ઘરના દીપકની પેઠે ઉત્પત્તિસ્થાનકે જ પ્રકાશ કરે, બીજે ન કરે, તે અનનુગામિક. ૩ હીયમાન-તે ક્ષયોપશમની વિશુદ્ધિયોગે, અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ૨૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy