SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે તે ક્ષય, ઉપશમ બાહ્ય ભાવ, બાહ્યરમણજોગે, અળોટતો થકો, હાનિ પામે તે કારણેજ્ઞાન પણ હાનિ પામે, તેને હાયમાન-ક્ષીણ થતું અવધિજ્ઞાન કહીએ. ૪ વર્ધમાન-તે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારથી વૃદ્ધિ પામે છે, જેમ અગ્નિમાં ઇંધન નાખવાથી વૃદ્ધિ પામે છે તે જ દૃષ્ટાંતે રમણતાના યોગે, ક્ષયોપશમ વૃદ્ધિ પામવાથી જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે. ૫ લોકાવધિ જ્ઞાન - સમગ્ર ચૌદ રાજલોકને દેખે તે લોકાવધિ. ૬ પરમાવધિ-અપ્રતિપાતિ, તે ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત કેવળજ્ઞાન ઉપજે તે પરમાવધિ કહેવાય. તે જ્ઞાન વડે સમગ્ર લોકને અલોકમાં લોકપ્રમાણ, અસંખ્યાતા ખંડકવ્યા પ્રમાણે જાણે દેખે, એટલી સત્તામર્યાદા પરમાવધિની છે, પરંતુ એ જ્ઞાન પામેલા બહુધા તે ઉપયોગ કરતા નથી, કારણ કે શ્રેણિગતે, આઠમા ગુણઠાણાથી જ, અવધિ મનઃ પર્યવનો ઉપયોગ નથી, અને એક અંતર્મુહૂર્તમાં તો કેવળજ્ઞાન પ્રગટ કરવું છે. તે કેવળજ્ઞાન તો તર્ગત ભાવમાં પરિણામ પામતા, એત્વ શુદ્ધ સ્વરૂપ અનુભવતાં પ્રગટે છે, માટે ઉપયોગ તો ન કરે પણ સાતમા અપ્રમત્ત ગુણઠાણે ઉપજે, તે આઠમે જઈ ક્ષપકશ્રેણિ માંડી, શુકલધ્યાનજોગે ઘાતી કર્મ હણી, કેવલજ્ઞાન પામે એમ સંભવે છે, એ અવધિજ્ઞાનના છ ભેદ કહ્યા. એ અવધિજ્ઞાનને અવધિદર્શનની નિશ્રા છે, તેથી જ્ઞાને કરી જાણે અને દર્શન કરી દેખે, વળી ઇંદ્રનોઇંદ્રિયાદિકની અપેક્ષા વિના પ્રત્યક્ષ પ્રમાણે સ્પષ્ટ, ઉત્કૃષ્ટ ભાગે અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી પર્યત અતીત અનાગત કાળને દેખે છે. મનઃ પર્યવજ્ઞાન, એક મનુષ્ય ભવમાં જ સંયતિ પદે, સાતમા અપ્રમત્ત ગુણઠાણે ઉપજે છે, તે પરભવે સાથે પણ જતું નથી. તેના બે ભેદ છે – (૧) ઋજુમતિ, અને (૨) વિપુલમતિ. ઋજુમતિ તે તિરછુ મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વીપ લાગે, અને ઊર્ધ્વ જ્યોતિષી પર્યત અધોરત્નપ્રભા M૨૮૨ ૨૮૨ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy