SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ શ્રુતજ્ઞાનની સંજ્ઞા આપી છે, ૨. શબ્દ શ્રવણ તથા રૂપ રસનાદિકથી અર્થપરિજ્ઞાનગર્ભિત જે અક્ષરની ઉપલબ્ધિ, તે લધ્યાક્ષર ત્રીજો ભેદ જાણવો. ૨. અક્ષરગ્રુત તે શિરકંપન, હસ્તચાલન, પ્રમુખ સમસ્યાએ કરી ગમનાગમનાદિક મનના અભિપ્રાયનું, પરિજ્ઞાન એટલે જાણવાપણું તેને અનક્ષરગ્રુત કહીએ. ૩. સંજ્ઞિશ્રુત તે શ્રુતસંજ્ઞા, ત્રણ પ્રકારની છે, ૧ દીર્ઘકાલિકી ૨ હેતુવાદોપદેશિકી, ૩ દૃષ્ટિવાદોપદેશિકી, તેમાં અતીત, અનાગત એ ઘણા કાળનું ચિતવનું તે દીર્ઘકાલકિી સંજ્ઞા તે સંજ્ઞી પંચેંદ્રિયને છે અને જે તાત્કાલિક ઈષ્ટ અનિષ્ટ વસ્તુ જાણીને, પ્રવૃત્તિ અને નિવૃત્તિ તે હેતુવાદો પદેશિકી સંજ્ઞા, વિકલૈંદ્રિય અસંજ્ઞિને છે, અને ક્ષાયોપથમિક જ્ઞાન કરી સમ્યગદ્રષ્ટિને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહી છે, એ પ્રમાણે સંજ્ઞી શ્રત કહ્યું. ૪. અસંશ્રિત, તે ઇંદ્રિયોના પ્રયોગ કરી, બોધ પામે તેને અસંજ્ઞિશ્રુત કહીએ. ૫. સમકિતશ્રુત અનેક કારણથી બોધ પામી, આત્મસ્વરૂપનો જાણ થઇ, ગ્રંથભેદ કરે તેને સમકિતશ્રુત કહીએ. ૬. મિથ્યાશ્રુત, તે અનેક વસ્તુને જાણે-પણ આત્માને ન જાણે, ન ઓળખે, તેને મિથ્યાત્વશ્રુત કહીએ. ૭ સાદિષ્ણુત, તે પાંચ ભરત અને પાંચ ઐરાવત, એ દસ ક્ષેત્રોમાં અવસર્પિણી, ઉત્સર્પિણી કાળે, જૈન તીર્થે, સૂત્ર સિદ્ધાંત પ્રવર્તે એટલે પ્રથમ તીર્થકરને કેવલજ્ઞાનાદિ ક્ષાયિક ભાવની લબ્ધિ પ્રાપ્ત થાય, દેવદેવેંદ્ર મળી સમવસરણની રચના કરે, તીર્થકરમહારાજા દેશના આપી. ભવ્ય જીવોને બોધબીજ પમાડી, ગણધરાદિ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, ગણધર દેવ, દ્વાદશાંગી સિદ્ધાંત રચે, ત્યાં શ્રુતજ્ઞાનની આદિ કહીએ તે સાદિશ્રુતભેદ. ૮. સપર્યવસિત શ્રુત, તે એ તીર્થ જિનંદ્ર દેવનું, પાટપરંપરાગત ચાલતાં વિચ્છેદ પામે, ત્યાં તે અવસરે તે કાળે, સૂત્ર સિદ્ધાંતનો અંત આવે, M૨૮૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy