SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ભાવને પામેલા અશુચિના સ્થાનભૂત શરીરને વિષે કયો બુદ્ધિમાન માણસ મોહને ધારણ કરે ? જેમ ભાડે રાખેલા ઘરને અવશ્ય છોડી દેવું જ પડે છે તેમ ગમે તે પ્રકારે, લાલનપાલન કરેલ શરીરને પણ અવશ્ય છોડી દેવું જ પડે છે. ધીર તેમજ કાયર પુરુષને અવશ્ય કરવાનું તો છે જ, પરંતુ પંડિત પુરૂષોએ એવીરીતે મરવું કે ફરીથી મરવું પડે નહીં. મને અરિહંત પ્રભુનું શરણ હજો, સિદ્ધ ભગવાનનું શરણ હજો, સાધુઓનું શરણ હજો તેમજ કેવળી મહારાજએ પ્રરૂપેલા ધર્મનું શરણ હજો , મારે માતા શ્રી જૈન ધર્મ છે, પિતાશ્રી ગુરુ મહારાજાઓ છે, સહોદર સાધુઓ છે અને સ્વધર્મી મારા બંધુઓ છે, આ સિવાય આ જગતમાં મારું કોઈપણ સગું નથી. આ હુંડાવસર્પિણી કાળને વિષે શ્રી ઋષભદેવજી આદિ થઈ ગયેલા તીર્થંકર મહારાજાઓને તેમજ બીજા ભરત, ઐરવત, મહાવિદેહાદિક ક્ષેત્રોને વિષે થઈ ગયેલા અને રહેલા તીર્થકર મહારાજાઓને હું નમસ્કાર કરું છું, કારણકે તીર્થંકર મહારાજાને કરેલો નમસ્કાર પ્રાણીઓને બોધિબીજના લાભના માટે તેમજ સંસારના છેદન માટે થાય છે. હું સિદ્ધ મહારાજાઓને નમસ્કાર કરું છું કારણ કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિવડે હજારો તેમજ લાખો ભવના કર્મરૂપી કાષ્ટોને બાળીને ભસ્મીભૂત કરેલા છે, પંચવિધ આચારના પ્રતિપાલન કરનારા આચાર્યમહારાજાઓને હું નમસ્કાર કરું છું, કારણ કે જેઓ ભવનું છેદન કરવા ઉજમાળ થઈ પ્રવચનને જૈન શાસનને ધારણ કરે છે. જેઓ સર્વે શ્રુતને ધારણ કરે છે, શિષ્યોને ભણાવે છે તે મહાત્મા ઉપાધ્યાયને હું નમસ્કાર કરું છું. વળી જે લાખો ભવોને વિષે ઉપાર્જન કરેલા પાપકર્મોનો ક્ષણવારમાં નાશ કરે છે તેવી શીયળવ્રતધારી મુનિમહારાજાઓને હું નમસ્કાર કરું છું. સાવદ્ય યોગ અને બાહ્ય ઉપાધીને, હું મન-વચન કાયાથી માવજીવ ન ૨૫૧ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy