SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ વોસિરાવું છું. યાવજીવ હું ચતુર્વિધ આહારનો ત્યાગ કરું છું, અને ચરમ સમયે દેહને પણ વોસિરાવું છું. દુષ્કર્મની ગહેણા, પ્રાણીઓને ખામણા, શુભ ભાવના, ચાર શરણા, નમસ્કાર સ્મરણ અને અણસણ આ છ પ્રકારોની આરાધના કરવાથી જીવો સદ્ગતિ પામે છે. (ઉપદેશ સોમો) સુક્ત અનુમોદના ત્રણ લોકને વંદન કરવા લાયક અરિહંતને, તથા સમસ્ત કર્મોના નાશ કરનાર સિદ્ધોને, મોક્ષમાર્ગને સાધનારા સાધુઓને અને ચારે ગતિથી ઉદ્ધાર કરનાર શ્રી જૈનધર્મનું હું શરણકરું છું. મેં ઈહલોક પરલોકને વિષે જે કાંઈ દુષ્કર્મ કરેલું હોય, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધારણદ્રવ્ય વિગેરે કાંઇપણ ભક્ષણ કર્યું હોય, કોઇક ભક્ષણ કરતો હોય તો ઉદાસીનતા ધારણ કરી હોય તે સર્વે અપરાધોને હું ખમાવું છું અને આત્માની સાથે ગણું છું. પૃથ્વીકાયને વિષે ઉત્પન્ન થયેલ લોહ, પત્થર આદિ મૂર્તિને વિષે તથા જળપ્લવે જળને વિષે અગ્નિને વિષે દીપકથકી, જંઝાદ્ય-વાયુભાવને વિષે વનસ્પતિને વિષે ધનુષ્યદંડ બાણવડે કરીને જીવોની પીડા કરી હોય, મારેલા હોય, તેમજ તેનાથી નાના પ્રકારનો કર્મબંધનો કરેલા હોય અને તે પણ રાષથી મોહથી ગાઢ કર્મો: બાંધેલા હોય તે સર્વેને હું આત્માની સાથે નિંદુ છું. વળી જ્ઞાનદર્શન, ચારિત્રની દ્રષ્ટિએ, જે જે સુકૃત કરેલું હોય તે સર્વેનું હું અનુમોદન કરું છું. વળી પૃથ્વીકાયને વિષે જિનેશ્વરમહારાજાના લિંબાદિકને વિષે તેમજ અપકાયને વિષે ભગવાનના સ્નાત્રાદિને વિષે, અગ્નિકાયને વિષે જિનેશ્વર મહારાજના ધૂપાદિકને વિષે,વાયુકાયે જિનેશ્વરમહારાજની આજ્ઞાધારક શ્રી ર૫ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy