SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કાયાથી વોસિરાવું છું. બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતા મને મન, વચન, કાયાથી જે કોઈ અતિચાર લાગેલો હોય તેને હું મન, વચન, કાયાએ કરીને ગહું છું બિંદુ ધર્મના અનુષ્ઠાનને વિષે મેં જે કાંઇપણ વીર્ય ગોપવ્યું હોય તે વીર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કોઈને માર્યો હોય, દુષ્ટ વચનો કહ્યા હોય તેમજ કોઈનું કાંઈ પણ હરણ કરી લીધેલું હોય અથવા કોઇનો કાંઈ પણ અપરાધ કરેલો હોય તે સર્વે મારા ઉપર ક્ષમા કરજો. જે કોઈ મારા મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન, હોય તે, મને મારા અપરાધને માટે ક્ષમા કરજો કારણ કે હું હવે સર્વને વિષે સમાન બુદ્ધિવાળો છું.' મેં તિર્યચપણામાં તિર્યંચોને, નારકીપણામાં નારકીઓને મનુષ્ય પણામાં મનુષ્યોને તથા દેવપણામાં દેવને, દુઃખી કર્યા હોય, તે સર્વે મને ખમજો. હું તે સર્વેને ખમાવું છું અને હવે મારે તે સર્વે જીવો સાથે મિત્રતા છે પણ ડોઇના ઉપર શત્રુતા નથી. જીવિત, યૌવન, લક્ષ્મી અને પ્રિયસમાગમ એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગો-કલ્લોલના સમાન અતિ ચપળ છે. વ્યાધિ, જન્મ, જરા, મરણથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને આ સંસારમાં જિનેશ્વરે કથન કરેલા ધર્મ વિના બીજું કોઈપણ શરણભૂત નથી. | સર્વે જીવો સ્વજન પણ થયેલ છે તથા પરજન પણ થયેલ છે, તો તેમાં કિંચિત્ માત્ર પણકોણ પ્રતિબંધ કરે ? કારણકે પ્રાણી એકલો જ જન્મે છે, એકલો જ મરે છે અને દુઃખનો અનુભવ પણ એકલો જ કરે છે, પ્રથમ તો આત્માથી આ શરીર અન્ય છે, ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુવર્ણાદિકપણ અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય, બંધુવર્ગ વિગેરેથી આત્મા પણ અન્ય છે. તે દેહને વિષે મૂર્ખ માણસો ફોગટ મોહ રાખે છે, ચરબી, રુધિર, માંસ, અસ્થિ, ગ્રંથી, વિષ્ટા અને મૂત્ર વિગેરેથી પરિપૂર્ણ ૨૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy