SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ચોરીના વ્યસનને ત્યાગ કરી, કુટુંબનું ભરણ પોષણ કરવું, રોષ યુક્ત મનથી મુક્ત થઇ, સ્વજન વર્ગ સાથે ભોજન કરવું. આત્મહિત ધારણ કરવા, ધર્મકર્મને જલાંજલી ન દેવી, કાનના દુર્બળ થવું નહિ કારણ કે તેમાં ભવિષ્યનું સુખ બહુ છે, રિપુ, રોગ, અગ્નિ, વિષે શસ્ત્ર વિગેરેનો વિશ્વાસ ન કરવો, વિશ્વાસઘાતી થઇ પરવંચના કદાપિ કરવી નહિ. દુર્જન, કામી, નટ, વિટ, વેશ્યા વિગેરેનો સંગ તેમજ વિશ્વાસ લવલેશ માત્ર કરવો નહિ. ન્યાયમાર્ગનો વાહક બની ગુણો ઉપાર્જન કરવાનો પ્રેમી થા, કામને જીતી પ્રતિષ્ઠિત પુન્ય કર્મનું સત્પાત્ર થા. સત્કર્મ કરી સત્ય પ્રતિજ્ઞાવાળો થા. નિર્વિકારી થઈ, સુકૃત દુમનો આલવાલ થા. બાહ્મણ, સ્ત્રી, ગાય, બાળક, તપસ્વી, વૃદ્ધ, રોગી, શરણાગત અને શસ્ત્ર રહિતનો વધ કદાપિ કાળે કરીશ નહિ. (ઉપદેશ છનુંમો) - જ્ઞાનવિના શૂન્ય જો સત્ય પુછાવો તો કાલિકાચાર્ય જેવો, સત્યવાદી મહાપુરુષોને ધન્ય છે, કારણ કે જેણે પ્રાણાંત કષ્ટ જેવા કટોકટીના સમયમાં પણ યજ્ઞનું ફળ પૂછનારા પોતાના ભાણેજ દત્તરાજાને યજ્ઞનું ફળ નરકગતિ' એવો ચોખો ઉત્તર નિડરપણે આપ્યો. શાસ્ત્રકાર મહારાજા કહે છે કે, જે માણસ પ્રગટપણે યથાર્થ યથાસ્થિત સત્ય ન કહે. તે માણસ બોધીબીજને હણી બોધિદુર્લભતા પ્રાપ્ત કરે છે, જન્મ જરા મરણરૂપ સમુદ્રને વિષે ડૂબી છે, સંસારમાં પરિભ્રમણ કરે છે, ઉસૂત્રની પ્રરૂપણા કરવાથી અનંત સંસાર વધારીને ચારે ગતિમાં વારંવાર પરિભ્રમણ કર્યાકરે છે. જે મનુષ્ય માયામૃષાવાદી હોય તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તો ધર્મકર્મમાં માયા કરવી તે દુ:ખદાયક છે, તેથી ધાર્મિક કાર્યપ્રસંગે ૨૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy