SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કદાપિ કાળે માયા-કપટ કાંઈ પણ કરવા નહિ, તેમજ પરનું મનરંજન કરવા, સદોષી અસત્ય વચન કદાપિ બોલવું નહિ. જે સત્ય હકીકત હોય તે લજ્જા રાખ્યા સિવાય તુરત કહી દેવી. ધર્મકર્મને વિષે માયા, કપટ કે અસત્યનો કચરો કદાપિ કાળે હોઈ શકે જ નહિ, માટે છળ, કપટ, પ્રપંચ, પરવંચના એ સર્વે સર્વથા ત્યજવા લાયક છે. દેવો હોય કે મનુષ્યો હોય પરંતુ ધર્મમાં જે છળકપટ કરે છે તે સઘળા બુડે છે અને ભવની બુદ્ધિ કરે છે, સર્વે જીવોને એક સરખું સત્ય વચન કહેનારા જ મુક્તિ પંથના દર્શન કહી શકાય. ઉત્તમ મનુષ્યો જેવું સભાને વિષે બોલે છે તેવું એકાંતરને વિષે પણ બોલે છે અને લોકોના સમૂહને વિષે જેવા આચરણ આચરે છે તેવું આચરણ એકાંતને વિષે પણ આચરે છે. સુતા જાગતા, બેસતા, ઊઠતા, બોલતા, ચાલતા. જેની એક જ પ્રવૃત્તિ હોય છે તે માણસ અને તેનું જ્ઞાન જ વ્યાખ્યાન કરવા લાયક હોય છે, તે માણસ જ ખરી સમજણવાળો ગણી શકાય છે. જે જીવો ધર્મોપદેશ સાંભળ્યા પછી, પોતાની શક્તિ અનુસારે શુભ પ્રવૃત્તિ કરી શકે છે તે જ ભવિષ્યમાં ઊંચી હદે પહોંચી શકે છે. જે મનુષ્યો નિર્મળ જ્ઞાન મળ્યા છતાં પણ જો ક્રિયાને કરતા નથી, તે સંસારમાં રઝળ્યા કરે છે. અને કોઈ પણ રીતે સંસારનો પાર પામી શકતા નથી. સંસારજન્ય સુખોના આસ્વાદન કરતા તેણે ત્યાગ માર્ગ રચી શકતો નથી. તરવાવાળા મનુષ્યોનેતરવાનું જ્ઞાન છે, પરંતુ હાથ પગ નહિ ચલાવાથી તર્યા વિના તે જેમ ઊંડાઅધો ભાગે ચાલ્યા જાય છે તેમજ ચારિત્ર વિનાનું જ્ઞાન કશા પણ કામનું નથી. જ્યારે સમજણ મેળવી તે પ્રમાણે ક્રિયા કરે ત્યારે જ તે જ્ઞાન ઉપયોગી થઈ પડે છે, અને જ્ઞાન ક્રિયા યુક્ત જે જીવો હોય તે જીવો જ શુકલપક્ષીયા જીવો કહી શકાય છે, સમકિતિ હોય કે મિથ્યાદષ્ટિ હોય, પરંતુ જો ક્રિયાવાદી હોય, ક્રિયા કરવામાં તત્પર હોય તે જ પરિણામે અવશ્ય મુક્તિસુખને મેળવી શકે છે. જ્ઞાની જીવો અલ્પ તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાનાદિક કરે તો પણ તે ઘણા કર્મનો ક્ષય કરે છે, અને અજ્ઞાની જેવો અતિશય લાંબા કાળ સુધી ૨૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy