SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ધારણ કર, પરંતુ ચંદ્રમાને કલંક છે માટે તારે નિષ્કલંક થઇ અંધકારનો નાશ કરવો. જેઓ અંતઃકરણને વિષે પ્રવેશ કરી આત્માની મહાનું ખરાબી કરે છે. તે ક્રોધાદિક શત્રુઓનો તું નાશકર. મોટાઓને વિષે તારે નમ્ર થવું, કારણ કે નમ્રતા વિનાનો સ્તબ્ધ માણસ લઘુતાને પામે છે. હું ઉત્તમ પુરુષ છું. એવું તું ન માન, કારણ કે પુરુષોની અપેક્ષાએ તું મધ્યમ પુરુષ છે. હું સુલક્ષણી છું એવું તું ન માન, કારણકે એક વિદનથી તે સર્વે નાશ પામે છે. વૃદ્ધિ પામીને મનને વિષે તું ગર્વ ન કર, કારણ કે તેથી ગુણની હાનિ થયા વિના રહેતી નથી. તારે સદા ન્યાયમાર્ગમાં તત્પર રહેવું તે તને લાયક છે. ઉત્તમ જીવોને સદા દાન આપવું, પાપકર્મને વિષે હર્ષનો ત્યાગ કરવો, તેમજ દેવતત્ત્વનું નિરંતર ધ્યાન કરવું. વળી કોઇપણ કાર્યકોઈ દિવસ ઉતાવળથી કરવું નહિ. દુષ્ટની સંગતિનો ત્યાગ કરી, ગુરૂગુણોનું ગાન કરવું. તેમજ નિરંતર વ્યસનોનો ત્યાગ કરી, ઉચ્ચધર્મનું આલંબન કરવું. અને સિદ્ધાંતના વચનોનું પાન કરવું. ગુરુકથિત તત્ત્વના ચિંતવન સાથે, નિરંતર શાસ્ત્રોનું પરાવર્તન કરવું કે કોઈ દિવસ ભુલી ન જવાય. દેવગુરુધર્મનું સ્મરણ કરી, ચાર શરણા કરી કાળે શયન કરવું. કુકર્મનું વારણ કરી, ગુરુવચન બરાબર હૃદયમાં કોતરી રાખવું. મિત્રને કોઈ દિવસ નહીં ઠગતા સદા પરોપકાર કરવો. જીતવા લાયકને જીતી પોતાના સુકૃતથી દુઃખ દરીઆને તરવો, ખરાબ કામ કરનારને તર્જના કરી ગ્રહણ કરેલ વ્રતનું પાલન કરવું, શરીરનું બહુ લાલનપાલન નહિ કરતા ગુણગણને ઉપાર્જન કરવા. ૨૪૧ ભાગ-૮ ફર્મા-૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy