SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ રાજયલક્ષ્મી અને ગૃહલક્ષ્મી અનેક યોનિમાં પાત કરાવનારી છે, વિવિધ પ્રકારે પીડા કરનારી અને અભિમાનરૂપ ફળવાળી છે. જ્યારે સ્વર્ગના સુખોથી પણ આ આત્માને સુખની તૃપ્તિ થઈ નથી, તો ક્ષણિક પ્રાયઃ એવા મનુષ્યોના સુખથી શાન્તિની આશા રાખવી જ શી ? માટે વિવેકી પુરૂષોએ, અમંદ આનંદના ઝરારૂપ, અને મોક્ષપ્રાપ્તિના કારણરૂપ, સંયમ સામ્રાજય અંગીકાર કરવું, તે જ યુક્તિયુક્ત છે. (ઉપદેશ નેવાસીમો) મનુષ્યભવની સફળતા લક્ષ્મીવંતો દેશકાળને ઉચિત ક્રિયા જાણતા નથી, કારણ કે કૃષ્ણ, ઉનાળાની ઋતુનો ત્યાગ કરી વર્ષાઋતુમાં સમુદ્રમાં શયન કરે છે. જુઓ લક્ષ્મી સર્વ જીવોને લક્ષ્મી આપનારી થતી નથી, પરંતુ વૈરને ઉત્પન્ન કરનારી અને પુન્યનો ક્ષય કરનારી થાય છે. મનોહર એકલી કળાથી જ મનુષ્યપણું સફળ થતું નથી, કારણ કે કરોળીયા અને સુખી પક્ષીનું ઘણું જ્ઞાન જોવામાં આવે છે. પાડાદિક ઘણા જીવો યુદ્ધ કરે છે, પણ મનુષ્યપણું તો ધર્મ કરવાથી જ સફળ થાય છે. તે ધર્મ પંડિત પુરૂષોયે અનેક પ્રકારે કહેલ છે, પણ સર્વવિરતિને તોલે એક પણ ધર્મ આવતો નથી. ધર્મને વિષે મનુષ્યો જે અંતરાય કરે છે. તેજ અંતરાય પોતે પૂર્વ ભવમાં ભોગવે છે. જેમ બીજ વિના પૃથ્વીને વિષે ધાન્ય ઉત્પન્ન થતું નથી. તેમ ધર્મ વિના કદાપિકાલે સુખ પણ પ્રાપ્ત થતું નથી. દેવગતિને વિષે ધર્મની ઉત્પત્તિ નથી, નરકગતિને વિષે ધર્મકથાની વાત પણ નથી, તિર્યંચને વિષે કવચિત-કદાચિત હોય, ફક્ત મનુષ્યને વિષે જ ખરેખરી ધર્મની સામગ્રી હોય છે. આર્યદેશાદિક પામ્યા છતાં પણ, મનુષ્યને ધર્મ કરવો મહાદુર્લભ છે, જેમકે-પાંચ પુરુષો નવી લઈ પરદેશ વ્યાપાર કરવા ગયા. ગામમાં તેમને પેસતા કોઈ રાજાયે દેખ્યા. તેમાં એક વ્યસનને સેવનારો પાપી હતો તેથી રાજાયે તેની નીવી લઈ, અંધારા કૂવામાં નાખ્યો. M૨૩૧) ૨૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy